-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ આખરે હટાવાયો
મહારાષ્ટ્રમાં મતદાન અગાઉ સરકારનો મોટો નિર્ણય ઃજોકે સરકારે જો ડુંગળીની નિકાસ શરૃ થશે તો ભાવ વધશે

મુંબઈ, તા.૪ :ભારત સરકારે એક મોટો નિર્ણય કરતા ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલા પ્રતિબંધને હટાવી લીધો છે. સરકારના આ નિર્ણયના પગલે મહારાષ્ટ્રના વેપારીઓને મોટી રાહત મળી છે. ઉલ્લેખનીય છે કે સરકારે આ નિર્ણય આગામી ત્રીજા તબક્કામાં મહારાષ્ટ્રમાં ચૂંટણી યોજાવવાની છે, તે પહેલા લીધો છે.
ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડે(ડીજીએપટી) તેના એક નોટિફિકેશનમાં ડુંગળીની મિનિમમ એક્સપોર્ટ પ્રાઈસ (ડુંગળીની લધુતમ કિંમત) પ્રતિ ટન ૫૫૦ ડોલર નક્કી કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ભારત સરકારે બાંગ્લાદેશે, શ્રીલંકા અને યુએઈ સહિતના દેશોની સરકારોએ વિનંતી કર્યા પછી ડુંગળીની ભારતમાંથી થતી નિકાસને મર્યાદિત કરી હતી.
મહારાષ્ટ્રાના ડુંગળીનો વેપાર કરતા વેપારીઓ અને ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા સમયથી ડુંગળીની સારી કિંમત મળે તે હેતુથી ડુંગળીની નિકાસ શરૃ કરવા માટેની માંગ કરવામાં આવી રહી હતી. જોકે સરકારે જો ડુંગળીની નિકાસ શરૃ થશે તો દેશમાં જ ડુંગળીના ભાવ વધશે તેવા ભયના પગલે તેની નિકાસને મર્યાદિત કરીને *પ્રોહિબિટેડ* કેટેગરીમાં મુકી દીધી હતી.
દેશી ચણાનું ઉત્પાદ ઘટશે તેવા સંકેતો મળતા સરકારે માર્ચ ૨૦૨૫ સુધી તેની પરની આયાત ડ્યુટીને હટાવી દીધી છે. આ સિવાય સરકારે પીળા વટાણા પરની આયાત ડ્યુટી, જે ઓક્ટોબર ૩૧, ૨૦૨૪ સુધી અને પહેલા થયેલી આયાત પર લેવાનું નક્કી કર્યું હતું, તેની મુદતમાં પણ વધારો કર્યો છે