-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Sunday, 5th May 2024
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા; પોલીસ મહાનિદેશક અને જેલોના ઇન્સપેક્ટર જનરલ ડો.કે. એલ.એમ.એન. રાવ ની સુચનાથી જેલોમાં કેદીઓ માનસિક તણાવ ન રહે તથા વ્યસન મુક્ત થાય અને જેલમાં પણ સંગીત સત્સંગ અને ધર્મનું જ્ઞાન મળી રહે તેવા આશ્રયથી રાજપીપળા જીલ્લા જેલ ખાતે નિલકંઠ ધામ પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા ભજન કિર્તન અને વ્યસન મુક્તિ માટેના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતુ.
સંતો દ્વારા ઘણા કેદીઓને ગુનાહિત પ્રવૃતી છોડી સત્યનો માર્ગ અપનાવાવાની સલાહ આપવામાં આવી હતી. અને ઘણા કેદીઓની ઈચ્છા મુજબ કંઠી (માળા) પહેરાવી વ્યસન મુક્ત રહે તેવી સંતો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી.આ પ્રસંગે રાજપીપલા જીલ્લા જેલના તમામ કેદીઓ તથા સ્ટાફ કર્મચારીઓ અને અધિક્ષક આર.બી. મકવાણા નાઓએ સાથે રહી આવો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
(12:08 am IST)