-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
જેતલસરમાં ૧૫ દિ'માં કોરોનાના ૭ દર્દી

જેતલસર, તા.૨૦: જેતપુર તાલુકાના જેતલસર ગામે ધીમા પગરવે પ્રવેશેલો કોરોના હવે વેગ પકડીને પ્રસરી રહ્યો છે.
જેઓને કોરોના થયો છે તેઓના વિસ્તારો પંચાયત તંત્ર જાહેર કરતુ નથી અને જેઓને કોરોના ના હોય તેમના નામ જાહેર કરીને અક્કલનું પ્રદર્શન કરતા હોવાનું એક વિપ્ર મહિલાના બનાવમાં બન્યું હતું.
જાગૃત માણસો એવું પણ કહે છે કે સ્થાનિક આરોગ્ય કેન્દ્રનો તબીબી સ્ટાફ કોરોના મહામારીને મહદંશે હળવી કરવા સારી ફરજ બજાવી રહ્યો છે પણ ગામમાં ગંદકી દૂર કરાવવાની વાતમાં બેધ્યાનપણું દાખવી રહ્યા છે.
ગામમાં કોરોના ઉપરાંત બીજો રોગચાળો પણ ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. ગામના જાગૃત યુવાનો કહે છે કે ગામના જે જે વિસ્તારમાં હાલ કોરોનાના દર્દીઓ હોમ ક્વોરેન્ટાઇ થઈને સારવાર હેઠળ છે તેવા વિસ્તારો નામ પંચાયત તંત્રએ જાહેર કરવા જોઈએ કે જેનાથી અન્ય લોકો આ વિસ્તારમાં અવરજવર ઓછી કરીને કોરોનાથી સંક્રમિત થતા બચે.
દરમિયાન સ્થાનિક આરોગ્ય કેન્દ્રના સૂત્રો પાસેથી વિગતો મળી હતી કે તા.૨-૯ થી તા.૧૬-૯ દરમિયાન ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ, દવાખાના રોડ, ઉપરકોટ વિગેરે વિસ્તારોમાં અત્યાર સુધીમાં ૭ દર્દીઓ નોંધાયા છે. આ બધાની હાલત હાલ ભયમુક્ત ગણાવાઈ રહી છે.