-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Sunday, 5th May 2024
દેશના અમ્પાયર નરેન્દ્રભાઈ મોદી અને લેગ અમ્પાયર અમિતભાઈ શાહ હોઈ જેના સુકાનીમાં દેશ વધુ મજબૂત થઈ રહ્યો હોય ત્યારે પૂનમબેન માડમને મત વધુને વધુ મત આપી નરેન્દ્રભાઈ મોદીને વધુ મજબૂત કરવા તથા દ્વારકા જિલ્લો અને ખંભાળિયા પણ વિકાસની હરણફાળ ભરે તેવા વિશ્વાસ સાથે પરિમલભાઈ નથવાણીએ ભાજપ તરફી મતદાન થાય તે અંગે અપીલ કરી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા શહેરમાં રઘુવંશી સમાજના કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં જ્ઞાતિજનો મતદાન કરે તેવી પણ અપીલ કરી

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળીયા તા.૫
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા શહેરમાં રઘુવંશી સમાજના કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી છે.
નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ અને દુનિયામાં ડંકો વગાડી દેશ ને પ્રગતિ કરાવી છે.ભાજપના પૂનમબેન માડમને મત વધુ ને વધુ મત આપી નરેન્દ્રભાઈ મોદીને મજબૂત કરવા અપીલ કરાઈ છે.
દેશના અમ્પાયર નરેન્દ્રભાઈ મોદી અને લેગ અમ્પાયર અમિતભાઈ શાહ હોઈ જેના સુકાનીમાં દેશ વધુ મજબૂત થઈ રહ્યો હોય ત્યારે દ્વારકા જિલ્લો અને ખંભાળિયા પણ વિકાસ ની હરણફાળ ભરશે તેવા વિશ્વાસ સાથે પરિમલભાઈ નથવાણીએ ભાજપ તરફી મતદાન થાય તે અંગે અપીલ કરી છે.
રઘુવંશી સમાજના કાર્યક્રમમાં પરિમલભાઈ નથવાણીએ આયોજકોનો આભાર માનીને લોકસભાની ચુંટણીમાં
બપોરે ૧૨ વાગ્યા સુધીમાં જ્ઞાતિજનો મતદાન કરે તેવી પણ અપીલ કરી છે.
(10:24 am IST)