-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
ભાવનગરના આલપરા ગામના પાદરમાં માતાજીના મંદિરમાં જઇને જવલનશીલ પ્રવાહી છાંટીને યુવકનો આપઘાત
ધંધામાં મંદી તથા દેણુ વધી જતા આપઘાત કરી લીધાનું તારણ

ભાવનગરઃ ઘોઘા તાલુકાનુ આલપરા ગામના પાદર ખાતે આવેલા ખોડીયારમાના મંદિર જઈને માતાજીની સામે જઈને ભાવનગરના યુવકે અગ્નિસ્નાન કરી લેતા ભારે ચકચાર જાગી છે. ભાવનગર શહેરના ઘોઘા સર્કલ, શ્રમજીવી અખાડા ખાતે રહેતા ગોવિંદભાઈ ધનજીભાઈ ધાપા (ઉ.46) મકાન લે વેચનો ધંધો કરી રહ્યા હતા, પરંતુ છેલ્લા ઘણા સમયથી ધંધામાં મંદી હતી. જેને લીધે લેણું વધી ગયુ હતું. નાણાકીય મુશ્કેલી વધી જતા તેઓએ જીવન ટૂંકાવી લેવાનો ટૂંકો વિચાર કરીને ઘોઘા તાલુકાના આલપરા ગામે ગયા હતા. જ્યાં કુળદેવી ખોડીયાર માતાજીનું મંદિર આવેલું છે.
મૂળ ગામ હાથબ ગામના વતની અને હાલ ભાવનગર રહેતા ગોવિંદભાઈ માતાજીના મંદિરમાં પ્રવેશ કર્યો હત, અને માતાજીની સામે જ કોઈ જલવંત પ્રવાહી શરીર ઉપર છાંટયુ હતુ, ગત તા. ૩ મે, રાત્રીના પોણા અગિયાર આસપાસ આ ઘટના બનતા તેઓએ શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા, જેથી તેઓનુ મૃત્યુ થયુ હતું. આ બનાવ બનતા ઘોઘા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી ભાવનગર હોસ્પીટલ લઇજય P. M કરાવી ઘોઘા પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.