-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
શહેરીજનોને ખાડા-ખબચડામાંથી વહેલી તકે મુકત કરોઃ પદાધિકારીઓની તાકિદ
જુદા-જુદા ઝોનમાં વોર્ડ વાઇઝ તાત્કાલીક રસ્તા કામ શરૂ કરવા અધિકારીઓને સુચના : મીટિંગ યોજાઇ

રાજકોટ,તા. ૨૧: શહેરમાં વરસાદને કારણે ધોવાઇ ગયેલ રસ્તાઓનું સમારકામ અને નવા બનાવવાની કામગીરીનો એકશન પ્લાન તાકીદે શરૂ કરવા મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા અધિકારીઓને સુચના આપવામાં આવી હતી.
આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વોર્ડ વિસ્તારના લોકોની સુખાકારી ધ્યાને લઇ રોડ રસ્તાના એકશન પ્લાન તૈયાર કરવામાં આવેલ. તેમજ તેને આનુષાંગિક રકમની પણ ફાળવણી કરવામાં આવેલ. આજરોજ મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા દ્વારા જુદા જુદા ઝોનના સિટી એન્જીનીયરો સાથે આજરોજ મીટીંગ કરવામાં આવેલ. તેમજ જુદા જુદા વિસ્તારોમાં મંજુર કરવામાં આવેલ એકશન પ્લાન સત્વરે શરૂ કરવા સુચના આપવામાં આવેલ. આ મીટીંગમાં સેન્ટ્રલ ઝોનના ઇચા.સિટી એન્જીનીયર એચ.એમ. કોટક, ઈસ્ટ ઝોનના ઇચા.સિટી એન્જીનીયર વાય.કે. ગોસ્વામી, વેસ્ટ ઝોનના ઈ.ચા.સિટી એન્જીનીયર કે. એસ. ગોહેલ, ચીફ એકાઉન્ટન્ટ એ. એલ. સવજીયાણી ઉપસ્થિત રહેલ.