-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
સૌરાષ્ટ્રને રણજી ચેમ્પિયન બનાવનાર ક્રિકેટર જયદેવ ઉનડકટએ કરી સગાઈ
જૂનાગઢ રીની પ્રદીપભાઈ કંટારીયા સાથે સગાઇ કરી : ચેતેશ્વર પુજારા સહિતની હાજરી

રાજકોટ : સૌરાષ્ટ્રને રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બનાવનારા કેપ્ટન જયદેવ ઉનડકટ હવે નવી ઈનિંગ રમવા જઈ રહ્યા છે. તેમણે જૂનાગઢના રિન્ની સાથે સગાઈ કરી હતી. ૨૮ વર્ષીય જયદેવે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની સગાઈની જાહેરાત કરી હતી
. ભારતના આંતરરાષ્ટ્રીય ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે સૌરાષ્ટ્રની ટીમને રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બનાવ્યું હતુ. રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે રણજી ટ્રોફીની ફાઈનલ મેચ રમાઈ હતી. સૌરાષ્ટ્રે બંગાળને હરાવીને પોતાના હોમગ્રાઊન્ડમાં ઐતિહાસિક જીત મેળવી હતી
જયદેવ ઉનડતટની સગાઈ પર તેના સૌરાષ્ટ્રના ટીમમેટ ચેતેશ્વર પુજારાએ પણ તેણે શુભેચ્છાઓ આપી છે. પુજારાએ ઉનડકટ અને તેની મંગેતર રિની સાથે તસવીર પોસ્ટ કરી છે.
ઉનડકટે રણજી ટ્રોફી સીઝન ખૂબ જ સારી રહી છે. તેણે 21 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. રણજીમાં એક સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેણે સેમીફાઈનલ સુધીમાં 65 વિકેટ ઝડપી હતી. આ પહેલા આ રેકોર્ડ કર્ણાટકના ડોડા ગણેશના નામે હતો જે 1998-99માં બન્યો હતો. (તસ્વીર - હિરેન સોઢા)