-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
તનાવ ભર્યા યુગમાં વરદાનરૂપ વિશ્વવ્યાપી ઓશો સક્રિય ધ્યાન

પ્રશ્નઃ- હું સક્રિય ધ્યાનનો પ્રયોગ છ મહીનાથી કરી રહ્યો છું. પરંતુ હજુ પણ રેચન ચાલુ છે. રોવું, રાડો પાડવી, કૂદવું, હસવું ચાલુ છે. આ કયાં સુધી રહેશે?
ગભરાવો નહિ. કેમ કે આપણા મનની પરેશાની, તે એક જન્મની નથી, અનેક જન્મોની છે. પરંતુ જલ્દી નીકળી શકે છે. જો આતુરતા વધે તો આપણે આતુરતા વધવા દેતા નથી. તો પછી ધીરે-ધીરે નીકળે છે, તો સમય વધુ લઇ લે છે.
એક દિવસમાં પણ નીકળી શકે છે, જો તમે પુરો સહકાર
આપો તો ટોટલ ભાગીદારી જો તમારી હોય તો એક દિવસમાં પણ નીકળી શકે છ.ે પરંતુ તે થતું નથી, તો ધીરે-ધીરે નીકળે છે. અંદર ઉપદ્રવનો મોટો જથ્થો છે. તમે હવે એક-એક ટીપુ કાઢો છો, તો સમય ખૂબજ લાગશે. તોડી નાખો દિવાલ, તો આજ પણ નીકળી શકે છે, એક ક્ષણમાં પણ નીકળી શકે છે. એટલી જ વાર લાગશે જેટલો તમે ધીરે-ધીરે સહયોગ કરશો. સહયોગ પૂરેપૂરો હશે તો જલ્દી થઇ જાશે. ભયભીત ન થાવ, તેમનેનીકળવા દો.
-ઓશો
ધ્યાન દર્શન-૩
સંકલન : સ્વામી સત્યપ્રકાશ-
૯૪૨૭૨-૫૪૨૭૬
આજના મનુષ્યના ચિતની અવસ્થા જોઇને ઓશે કહે છે. ‘‘મનુષ્ય વિક્ષિપ્ત છે, એવું નથી કે થોડાક લોકો વિક્ષિપ્ત છે, આખી મનુષ્યતાજ વિક્ષિપ્ત છે દરેક મનુષ્યની વિક્ષિપ્તતા સામાન્ય સ્થિતિ થઇ ગઇ છે એવું કેમ?
આપણે બધાને દમિત' બનાવી દિધા છે બધાજ રીતની વાતોને અંદર ધકેલીને તે અંદર-અંદર ખુલી રહી છે . તે બધાને જે આપણા સમાજમાં ઉછરીને આગળ વધ્યા છે.'
તમે ક્રોધ, કામ, હિંસા, લોભ બધુજ ભેગુ કરી લીધું છે હવે તે ભેગુ કરેલું તમારી અંદર વિક્ષિપ્તા બની ગયું છે.
પヘમિના મોટાભાગના મનૌ ચિકિત્સકોના મત અનુસાર આજનીવિક્ષિપ્ત મનુષ્યતા માટે, ચિંતાથી મુકત કરવા માટે ‘‘સક્રિય ધ્યાન'' ખરેખર ઉપાય સાબિત થઇ રહ્યું છે.
સક્રિય ધ્યાન અત્યારના મનુષ્ય માટે છે. કારણ કે તે વિક્ષિપ્ત છે. મુશ્કેલીમાં છે. બેચેન છે, ચિંતામાં છે.
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૫ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
સંકલનઃ
સ્વામિ સત્યપ્રકાશ
૯૪ર૭ર પ૪ર૭૬