-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
સારાની સાથે સુશાંતે પ્રથમવાર લીધો હતો હેવી ડોઝ
ડ્રગ કેસમાં રિયાએ કર્યો ધડાકો

મુંબઇ તા. ૨૧ : સુશાંત કેસના ડ્રગ એંગલમાં ધરપકડ કરાયેલ રિયા ચક્રવર્તીનો મોટું નિવેદન સામે આવ્યું છે. ધરપકડ પહેલાની એનસીબીની પૂછપરછમાં રિયાએ સુશાંતના ઘર છોડવાનું સાચુ કારણ શા માટે છોડી દીધું હતું. એક ખાનગી ચેનલના બતાવ્યા મુજબ રિયાએ સુશાંતથી અલગ થવાની કારણ જણાવ્યું છે.
એનસીબીને આપેલા સ્ટેટમેંટમાં રિયાએ કહ્યું કે સુશાંત એક ડ્રગ એડિકટ થઈ ચૂકયો હતો અને તે આમાંથી નીકળી શકતો નહોતો. આ કહીને રિયાએ ૮ જૂને સુશાંતનુ ઘર છોડી દીધું હતું. તે સમયે લોકડાઉન અને સુશાંત પર લાગેલા મીટૂના આરોપને ધ્યાનમાં રાખીને રિયાએ વિચાર્યું કે જો તે સુશાંતની સાથે રહેશે તો તેમની કારકિર્દી ખરાબ થઈ જશે. એટલા માટે તેણે સુશાંતથી અલગ થવાનો નિર્ણય કર્યો.
પોતાના નિવેદનમાં રિયાએ કહ્યું કે કેદારનાથ ફિલ્મના સમયે જયારે શૂટિંગના સમયે તે હિમાલય ઉપર રહે તો ત્યાં મફત ઉપલબ્ધતાના કારણે ત્યાં તેણે ડ્રગ્સ લેવાનુ શરૂ કર્યું. એક જરૂરી વાત એ છે કે જે પણ માણસ ડ્રગ્સ લે છે ખાસ કરીને કેનબિસ તેને ભુખ ખુબ જ લાગે છે. કોકેઈનથી વજન ઘટે છે જયારે કેનબિસથી વજન વધે છે. એનુ કહેવુ હતું કે બંને સારા અને સુશાંત ત્યાંથી વજન વધારીને આવ્યા. જયારે એવી જગ્યાએ શૂટિંગ હતું જયાં વજન વધારવું મુશ્કેલ હતું.