-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
સુનીતા કેજરીવાલે ફરી કહ્યું, 'આ લોકો કેજરીવાલને મારી નાખવા માંગે છે

નવી દિલ્હી : લિકર પોલિસી કૌભાંડ કેસમાં જેલમાં રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે ફરી એકવાર કહ્યું છે કે 'તેઓ કેજરીવાલને જેલમાં જ મારી નાખવા માંગે છે.'
દિલ્હીના કોંડલી વિસ્તારમાં એક જનસભાને સંબોધતા સુનીતા કેજરીવાલે કહ્યું કે અરવિંદ કેજરીવાલ ૨૨ વર્ષથી ડાયાબિટીસથી પીડિત છે.
લોકોને સંબોધતા સુનીતા કેજરીવાલે કહ્યું કે, “પહેલાં, કોઈ વ્યક્તિ ત્યારે જ જેલમાં જતો હતો જ્યારે કોર્ટ તેને દોષિત જાહેર કરતી હતી. હવે તેઓ નવી સિસ્ટમ્સ સાથે બહાર આવ્યા છે કે જ્યાં સુધી તપાસ ચાલશે, જ્યાં સુધી ટ્રાયલ ચાલશે ત્યાં સુધી તેમને જેલમાં રાખવામાં આવશે. આ તદ્દન ગુંડાગીરી અને સરમુખત્યારશાહી છે.
અરવિંદ કેજરીવાલની બીમારીનો ઉલ્લેખ કરતાં સુનીતા કેજરીવાલે કહ્યું, “અરવિંદ ૨૨ વર્ષથી ડાયાબિટીસથી પીડિત છે અને ૧૨ વર્ષથી ઇન્સ્યુલિન લઈ રહ્યા છે. દરરોજ ૫૦ યુનિટ લે છે, જેલમાં ગયો, તેનું ઇન્સ્યુલિન બંધ કરી દીધું. તેનું સુગર લેવલ ૩૦૦થી ઉપર જશે, તેની કિડની અને લીવરને નુકસાન થશે. શું તેઓ કેજરીવાલજીને જેલમાં મારી નાખવા માંગે છે?