-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
દિલ્હીઃ પ૦ થી વધારે લોકોના ભેગા થવા પર પ્રતિબંધઃ શાહીન બાગ પર પણ લાગુ થશે નિયમ

દિલ્હી સરકારએ કોરોના વાયરસના રોકથામ માટે દિલ્હીમાં પ૦ થી વધારે લોકોના ભેગા થવા પર પ્રતિબંધ લગાવ્યો છે. સોમવારના મિડીયા સાથેની વાતચીતમા મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલએ જાણકારી આપી છે. એમણે કહ્યું કયાંય પણ કોઇપણ હાલતમાં પ૦ લોકોથી વધારે લોકોએ એકસાથે ભેગા થવાની ઇજાજત નહી મળે.
જયારે મુખ્યમંત્રી કેજરીવાલને સવાલ પુછવામા આવ્યો કે શુ શાહીનબાગના લોકોને પણ આપ હટવાની અપીલ કરી રહ્યા છો તો એમણે કહ્યું કે આ આદેશ બધા ઉપર લાગુ છે. પછી ભલે તે વિરોધ પ્રદર્શન કરનારા હોય કે અન્ય કોઇ હોય. આ પછી જયારે એમને બીજી વખત પૂછવામા આવ્યું કે પ૦ થી વધારે લોકો જો પ્રદર્શન કરે છે તો એમના ઉપર કોઇ કાર્યવાહી થશે ? આના પર અરવિંદ કેજરીવાલએ કહ્યુ એપિડેમિક એકટ અંદર ડીએમ અને એસડીએમ પાસે શકિત છે જયા પણ કાર્યવાહી કરવાની જરૂરત છે આ લોકો કરશે.
દિલ્હીના મુખ્યમંત્રીએ પોતાના ઘર પર ‘જનતા સંવાદ' કાર્યક્રમ પણ બંધ કરી દીધો છે. સોમવારથી શુક્રવાર સવારના ૯ થી ૧૧ સુધી આ જનતા સંવાદ ચાલે છે આ કાર્યક્રમમમાં કેજરીવાલ આમ જનતાની સમસ્યાઓનું સમાધાન કરે છે.