-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
યુપીની ૧૧ વિધાન પરિષદની બેઠકો પર ભાજપાની નજર એમએલસી ચુંટણીમાં પહેલી વાર કમળ ખિલવવા કવાયત

લખનૌ તા. ૧૬: વિધાનસભા અને લોકસભા ચુંટણીમાં જીતનો ડંકો વગાડયા પછી હવે ભાજપાની નજર વિધાન પરિષદ પર છે. ઉત્તર પ્રદેશ વિધાન પરિષદની થનાર ચુંટણીમાં પહેલી વાર જીત માટે ભાજપાએ ખાસ યોજના બનાવી છે. પોતાની ચુંટણી રણનીતિ હેઠળ દરેક મતદાર પાસે જઇને ભાજપા ટેકો મેળવવાની સાથે જ બધા મતદાન કેન્દ્રો પર સંમેલનો પણ કરશે.
રાજયની ૧૧ બેઠકો પર થનાર ચુંટણીમાં પક્ષના સંગઠન સ્તરે પણ ખાસ તૈયારીઓ કરાઇ રહી છે. ઉત્તર પ્રદેશની ૧૧ વિધાન પરિષદ બેઠકો પર ચુંટણી થવાની છે. શિક્ષક ક્ષેત્રની બેઠકો પર માધ્યમિક શિક્ષા સંઘના ઓમ પ્રકાશ જૂથનો કબ્જો રહે છે. સ્નાતક બેઠકો પર પણ મોટા ભાગે ઓમપ્રકાશ જૂથની જ સરસાઇ રહે છે પણ આ વખતે ભાજપાએ આ મેદાનમાં ઝંપલાવ્યું છે.
પક્ષની રણનીતિ અગિયારે-અગિયાર બેઠકો પર લડવાની છે. આના માટે મત મેળવવાનું અભિયાન પણ ભાજપા ચલાવી ચૂકયો છે. ભાજપાએ હવે મત મેળવવા માટે દરેક મતદારનો સંપર્ક કરવા સંપર્ક અભિયાન ચાલુ કરવાનું નક્કી કર્યું છે.