-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
રાજ્યસભાના સાંસદ ઉમેદવાર તરીકે અનેક પ્રયાસ છતાં રાજીવ શુકલાને પડતા મુકાયા

નવી દિલ્હી તા. ૧૬ : પ્રિયંકા ગાંધી વાડ્રાની કૃપા આ વખતે રાજીવ શુકલા પર વરસી નહીં. ત્રણ વાર કોંગ્રેસના રાજયસભા સાંસદ અને પ્રધાન રહી ચૂકેલા રાજીવ શુકલાની ચાલ સફળ રહી નથી. ગુજરાતમાંથી રાજયસભાના ઉમેદવાર તરીકે નામ લગભગ નક્કી હતું, પરંતુ લોકલ કોંગ્રેસી નેતા-વિધાનસભ્યોનો ભારે વિરોધ જોઈને તેમનું નામ પડતું મુકવું પડયું હતું. કોંગ્રેસીઓ ક્રોસ વોટીંગ કરશે એવી ચીમકી અપાઈ હતી.
અહમદ પટેલે આ મુદ્દે સોનિયા ગાંધીને વાકેફ કર્યા હતા અને રાજીવ શુકલાના સ્થાને શકિતસિંહ ગોહિલનું નામ સૂચવ્યું હતું જેને છેલ્લી ઘડીએ મંજૂરી અપાઈ હતી. શકિતસિંહની મહેનતથી જ ગત વર્ષે અહમદ પટેલ રાજયસભાના સાંસદ બની શકયા હતા. મોદી-શાહે મોટાભાગના પગલાં રાતના સમયે જ લીધા છે.
જેમાં જીએસટી બિલ, નોટબંધી, વર્માને સીબીઆઈના હોદ્દેથી હઠાવવા, મહારાષ્ટ્રમાં અજિત પવાર સાથે સરકાર બનાવવાનો નિર્ણય તથા મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકારને બહુમતી સાબિત કરવાનો આદેશનો સમાવેશ થાય છે. લોકો કહે છે કે રાતના બધા નિર્ણય ફળદાયક રહ્યા છે.