-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
જિરાફના ગળામાં ટાયર કઇ રીતે ફસાયું?

લંડન તા. ૧૬ : કેન્યાના મોમ્બાસામાં આવેલા હોલર પાર્કમાં એક જિરાફના ગળામાં ફસાયેલા ટાયરને બહાર કાઢવામાં આવ્યું હતું. જિરાફના ગળામાં ટાયર કઈ રીતે ફસાયું એ વિશે કોઈ જાણકારી નથી, પરંતુ ગળાની ફરતે લાંબા સમયથી ફસાયેલા ટાયરને લીધે એની ડોકમાં ઈજા થઈ હતી. શેલ્ડ્રિક વાઇલ્ડલાઇફ ટ્રસ્ટનું કહેવું હતું કે આ પહેલાં નાની-મોટી ઈજા માટે લગભગ ૯૫ જેટલાં જિરાફને સારવાર આપવામાં આવી છે, પરંતુ ગળામાં ટાયર ફસાઈ ગયું હોય એવો આ પહેલો જ કેસ છે. જોકે જિરાફને પકડવા માટેના છટકા તરીકે ટાયરનો ઉપયોગ કરવામાં આવ્યો હોય એની સંભાવના જણાતી નથી.
જિરાફને ટાયરમુકત કરવા માટે એની નજીક જઈને એના પર સસ્તન પ્રાણીઓ માટે વિશેષ રૂપે તૈયાર કરાયેલું એનેસ્થેશિયા ધરાવતું તીર છોડવામાં આવ્યું હતું અને ત્યાર બાદ જિરાફને ધીમેથી દોરીને મેદાનમાં લવાયું. એનેસ્થેશિયાને લીધે જિરાફની શરીરમાં લોહી પમ્પ કરવાની ક્ષમતા પર અસર પડવાની સંભાવનાને લીધે એને લાંબો સમય એનેસ્થેશિયાની અસર હેઠળ રાખી શકાય નહીં. પરિણામે જિરાફને જમીન પર સુવડાવ્યા બાદ તરત જ એના ગળામાંથી સાવચેતીપૂર્વક ટાયર કાઢી લેવામાં આવ્યું હતું. જિરાફના ઘાને સાફ કરીને એના પર એન્ટિબાયોટિક સ્પ્રે છાંટીને એને જંગલમાં છોડી દેવામાં આવ્યું હતું.