-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
અમેરિકન એરબેઝમાં ટ્રૂપ્સ છાવણી નાખી રહ્યા હોવાની શંકાથી 1હજાર સૈનિકોને દેશ છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો

નવી દિલ્હી: અમેરિકાનાં સંરક્ષણ વિભાગના એક વિશિષ્ટ અધિકારીએ રોઇટર્સને જણાવ્યું હતું કે જે એરબેઝમાં અમેરિકન ટ્રૂપ્સ છાવણી નાખી રહ્યાં હતાં, તે ૧,૦૦૦ સૈનિકોને દેશ છોડી દેવાનો આદેશ અપાયો છે અને તેનાં સ્થાને એક સપ્તાહમાં જ રશિયન દળો પહોંચી જશે અને એરબેઝનો કબ્જો લઇ લેવાનાં છે.બરોબર મધ્ય સહારામાં રહેલાં આ રાષ્ટ્રમાં લશ્કરી શાસન જ છે. તેને અમેરિકા સતત અનુરોધ કરતું રહ્યું છે કે તેમણે સત્તા છોડી દેશમાં લોકશાહી સરકાર સ્થાપવી જોઇએ. આ લશ્કરી જુન્ટાને પસંદ પડે તેમ જ ન હોવાથી તેણે અમેરિકા સાથે જ સંબંધો લગભગ કાપી નાખ્યા છે અને તેને પગલે તેણે અમેરિકન ટ્રૂપ્સને દેશ છોડી દેવા હુક્મ કર્યો છે. વાસ્તવમાં ગત વર્ષ સુધી નાઇજરમાં લોકશાહી સરકાર હતી તેને ઉથલાવી લશ્કરી જૂન્ટાએ સત્તા હાથમાં લઇ લીધી છે. હજી ૧,૦૦૦ જેટલા અમેરિકન સૈનિકો પાટનગર નિયામ્યેમાં છે, તેઓ જવાની તૈયારી કરી રહ્યા છે. તેવામાં જ રશિયન ટ્રૂપ્સ વિમાન દ્વારા આવતા રહ્યાં છે. આથી પરિસ્થિતિ તેવી સર્જાઇ છે કે રશિયન અને અમેરિકન ટ્રૂપ્સ પરસ્પરથી માત્ર થોડાં અંતરે હોવા છતાં તેઓ એકબીજાનો જરા પણ સંપર્ક રાખતા નથી. વાત સહજ છે. યુક્રેન યુદ્ધને લીધે રશિયા અમેરિકાને ઉભા રહ્યું બનતું નથી.