-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
માણસા નજીક ધોળાકુવા પાસે એટીએમને નિશાન બનાવી તસ્કરોએ રાત્રીના સુમારે ગેસ કટરથી મશીન કાપી 19 લાખથી વધુની રકમની ચોરી કરી

માણસા:પાસે આવેલા ધોળાકુવા ગામમાં આવેલ બેંક ઓફ બરોડાના એટીએમમાં ગઈરાત્રિએ અજાણ્યા ચોર ઈસમોએ મુખ્ય દરવાજાનું તાળુ તોડી એટીએમને ગેસ કટરથી કાપી ૧૯ લાખ ઉપરાંતની રકમની ચોરી કરી હતી. અને તેવી જ રીતે બાજુમાં આવેલ પરબતપુરા ગામે પણ એટીએમને ગેસ કટરથી કાપી ત્રણ લાખ ઉપરાંતની રકમની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. જે બાબતે બરોડા બેંકના મેનેજરે માણસા પોલીસ સ્ટેશન ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
માણસા ખાતે આવેલ બેંક ઓફ બરોડા દ્વારા તાલુકાના ધોળાકુવા ગામે આવેલી ડેરીમાં એક એટીએમ મુકવામાં આવ્યું છે. જે સવારે ૮ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી ચાલુ હોય છે. આ એટીએમમાં ગત રાત્રિએ ૧૦ વાગ્યે બંધ થયું તે વખતે તેમાં ૧૯,૦૬,૫૦૦ રૃપિયા રોકડા હતા. આ એટીએમમાં દિવસ દરમિયાન સિક્યુરિટી ગાર્ડ મુકવામાં આવેલ છે પણ રાત્રે ૧૦ વાગ્યા પછી એટીએમના સરને તાળુ મારી બંધ કરી દેવામાં આવે છે. જેમાં ગઈકાલે રાત્રિના સવા ત્રણ વાગ્યાની આજુબાજુ અજાણ્યા ચોર ઈસમો અહીં ચોરી કરવાના ઈરાદે આવ્યા હતા અને એટીએમના શટરનું તાળુ તોડી અંદર પ્રવેશી એટીએમ મશીનને ગેસ કટરથી કાપી અંદર મુકેલી તમામ રકમ લઈ ભાગી છૂટયા હતા.