-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
સુરતના લીંબાયત સંજયનાગરમાં જામીન પર છૂટેલા યુવકની અગમ્ય કારણોસર હત્યા કરનાર પાંચ આરોપી પૈકી બે ની ધરપકડ

સુરત: શહેરના લીંબાયત સુભાષનગરમાં રહેતા અને હત્યાના ગુનામાં જામીન ઉપર છૂટેલા યુવાનને અઠવાડીયા અગાઉ લીંબાયત સંજયનગરમાં ગેંગવોરમાં ચાર થી પાંચ વ્યક્તિએ ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી રહેંસી નાખ્યો હતો. લીંબાયત પોલીસે આ બનાવમાં બે યુવાનની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, સુરતના લીંબાયત સુભાષનગરમાં રહેતો અને હત્યાના ગુનામાં જામીન ઉપર છૂટેલો 30 વર્ષનો પ્રદીપ ઉર્ફે દાદા પાટીલ અઠવાડીયા અગાઉ સોમવારે મોડી સાંજે પોતાના મોપેડ ઉપર લીંબાયત સંજયનગર શ્રીરામ ચોક ખાતેથી પસાર થતો હતો ત્યારે ચાર થી પાંચ વ્યક્તિએ તેને આંતરી અટકાવ્યા બાદ તેના ઉપર ચપ્પુ વડે હુમલો કરી છાતી, હાથ અને પીઠમાં ઉપરાછાપરી પાંચ થી છ ઘા ઝીંકી દીધા હતા અને ફરાર થઈ ગયા હતા. ગંભીર ઈજાગ્રસ્ત દાદા પાટીલ સ્થળ ઉપર જ મોતને ભેટ્યો હતો. બનાવની જાણ થતા લીંબાયત પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.