-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
ટી-સ્ટોલમાં છ ફૂટનું અંતર જરૂરી : માસ્ક વિના પ્રવેશ નહી : ટેબલ ખુરશીનું સેનેટાઇઝેશન ફરજીયાત
કોરોના નિયંત્રણ માટે ઠોસ પગલા : થુંકવા-કોગળા કરવા ઉપર પ્રતિબંધ

અમદાવાદ : કોરોનાને ફેલાતો રોકવા સરકાર દ્વારા અનેક પગલા લેવાય રહ્યા છે. અમદાવાદમાં ચા-કોફી પીવા આવતા ગ્રાહકો માટે એસઓપી જાહેર કરાઇ છે.
જે મુજબ આવનાર ગ્રાહકો વચ્ચે ઓછામાં ઓછું ૬ ફુટનું અંતર રાખવા અને માસ્ક વગરના વ્યકિતને પ્રવેશ ન આપવા જણાવાયું છે. ઉપરાંત ચાના લારી ગલ્લા ઉપર સેનેટાઇઝર અથવા હેન્ડવોશ રાખવું જરૂરી બનાવાયું છે. સોશ્યલ ડિસ્ટન્સીંગ માટે પ્રોપર માર્કીંગ અને ચેતવણી લગાવવી જરૂરી છે.
ચા અથવા કોફી ફકત બાયો ડિગ્રેડેબલ ડિસ્યોઝેબલ કપમાં જ આપવાની રહેશે. વધુ ભીડ ન થાય તેનું ધ્યાન રાખવાનું પણ કહેવાયું છે. ઉપરાંત મોટા પીવાના પાણીના માટલા કે વાસણના બદલે બોટલમાં પાણી રાખવમાં આવે. સાથો-સાથ થુકવા કે કોગળા કરવા ઉપર પ્રતિબંધ રાખવો.
ચા કોફીના સ્ટોલ ઉપર કામ કરતા કર્મચારીઓની દર અઠવાડીયે રેપીડ ટેસ્ટ દ્વારા તપાસ કરાવવી ફરજીયાત છે અને બીમાર કર્મચારીને કામ ઉપર ન બોલાવવા પણ જણાવાયું છે. માસ્ક વિના આવનારા વ્યકિત માટે માસ્કની વ્યવસ્થા કરવા પણ સ્ટોલ ધારકોને સુચના અપાઇ છે. ટેબલ ખુરશી તથા બાથરૂમને વારંવાર સેનેટનઇઝર કરવા અને ક્ષમતાથી ૫૦ ટકાનો જ ઉપયોગ કરવા એસઓપીમાં જણાવાયું છે.