-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
BAPS ના વડા પૂ ,મહંત સ્વામીની તબિયત લથડી : હોસ્પિટલમાં લઇ જવાયા

અમદાવાદઃ સ્વામિનારાયણ સંપ્રદાય બીએપીએસ (બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા)ના વડા મહંત સ્વામીની તબીયત લથડી છે.
મળતી વિગત મુજબ તેમની સારવાર અમદાવાદની શાહીબાગ ખાતે આવેલી યોગીજી મહારાજ હોસ્પિટલમાં થશે. તેમને હોસ્પિટલમાં લઈ જવાઈ રહ્યા છે. હજુ તેમની તબીયત અને બિમારી અંગે વધુ જાણકારી મળી શકી નથી. આ સંદર્ભે બી એ પી એસ સંસ્થાના પ્રવક્તા ઋષભ પટેલે જણાવ્યું કે, સ્વામીની તબિયતને લઈને તેમના રૂટિન ચેકઅપ માટે તેમને હોસ્પિટલમાં લઈ જવાઈ રહ્યા છે. આ ચેકઅપ દર ૩ મહિને કરીએ છીએ.
અગાઉ પણ મહંત સ્વામીની તબીયતને લઈને તેમના વિવિધ રિપોર્ટ્સ કઢાયા હતા. તેમને તે વખતે તબીબોએ ઓછો કાર્યભાર સંભાળવાની અને તબીયત પર ધ્યાન આપવાની સલાહ આપી હતી. તે વખતે જ તેમનો ખોરાક અત્યંત ઓછો હતો. તેઓને ચાલવામાં પણ તેમની પહેલાની ઝડપ કરતાં ઘણી ઓછી રહેતી હતી. તેમના મસલ્સ પણ અશક્ત રહેતા હતા. તેઓની હાલ ઉંમર 86 વર્ષની છે. જ્યારે પ્રમુખ સ્વામી અક્ષરધામ વાસી (મૃત્યુ પામ્યા) થયા ત્યારે તેમણે સંસ્થાનો ભાર તેમના ખભે સોંપતા ગયા હતા. લાખો કરોડોની સંખ્યામાં હરિભક્તોથી જોડાયેલી આ સંસ્થાના વડા તરીકે હાલ મહંત સ્વામી કાર્યભાર સંભાળે છે. તેઓનો જન્મ 13 સપ્ટેમ્બર 1933માં થયો હતો. સ્વામીનારાયણ સંપ્રદાયના છઠ્ઠા આધ્યાત્મીક ઉત્તરાધીકારીના રુપે તેમને સંબોધિત કરાય છે. તેમને 1961માં યોગીજી મહારાજ તરફથી હિન્દુ સ્વામીના રુપે દીક્ષા અપાઈ હતી.