-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
ભાજપ કોઈને નાણા આપીને પક્ષમાં લાવ્યુ નથી : નાણાં આપ્યાનું કોંગ્રેસ સાબિત કરે: મુખ્યમંત્રી રૃપાણીનો પડકાર

અમદાવાદ :વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભામાં જવાહર ચાવડા અને કુંવરજી બાવળિયાનો મુદ્દો ઉઠાવ્યો છે. જેથી વિધાનસભામાં ખુદ સીએમ રૂપાણીએ મોરચો સંભાળ્યો છે. શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, તમે બન્ને નેતાને નાણા આપીને લાવ્યા છે. તેના જવાબમાં સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ જવાહર ચાવડા અને કુંવરજી બાવળિયાને નાણા આપ્યા હોવાનું સાબિત કરે. ભાજપ કોઈને નાણા આપીને પક્ષમાં લાવ્યુ નથી.
બીજીતરફ ગુજરાતમાં 5 ધારાસભ્યો વંડી ટપી જતાં ભાજપ ખુશખુશહાલ થઈ ગઈ છે. ભાજપ કોઈ પણ ભોગે નરહરી અમીનને રાજ્યસભામાં મોકલવા માટે કટિબદ્ધ છે પણ 5 નેતાના રાજીનામા બાદ પણ રાજ્યસભાના ગણિતો કહે છે કે નરહરિ અમીન માટે પણ આ રસ્તો સરળ નથી. બીટીપીના 2 ધારાસભ્યો અને એનસીપીના એક મતની ભાજપને ફરજિયાત જરૂર પડશે. આ 3 મતો કોંગ્રેસે સેરવી લીધા તો નરહરિ અમીનને મુશ્કેલી વધશે. કોંગ્રેસ પાસે ભલે હવે તક નથી પણ નરહરી અમની માટે પણ આ મુશ્કેલી છે કારણ કે બીટીપી અને એનસીપી પણ તડજોડ કરશે એ વાત નક્કી છે.