-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
ક્ષત્રિય સમાજ ગૌરવવંતી પરંપરા જાળવી લોકસભા ચૂંટણીમાં ભાજપને જ સમર્થન આપે: દેશ અને રાજ્યના વિકાસમાં ક્ષત્રિય સમાજનું પણ યોગદાન
પ્રચારના પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી એકવાર ક્ષત્રિય સમાજને અપીલ કરી

અમદાવાદ : લોકસભાની ચૂંટણીનું 7 તારીખે ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે જેમાં ગુજરાતમાં મતદાન 7મી તારીખે થવાનું છે . ત્યારે ગુજરાતમાં એક તરફ ક્ષત્રિયોની રુપાલા અને ભાજપ તરફી નારાજગી અને બીજી તરફ આ જ મુદ્દે ક્ષત્રિયોને મનાવવાની ભાજપની કામગીરી ચાલી રહી છે . આ બધાની હવે આચાર સંહિતા લાગુ પડવા જઈ રહી છે ત્યારે પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી એકવાર ક્ષત્રિય સમાજને અપીલ કરી છે. ગુજરાત ભાજપે પીએમ મોદીને સંપૂર્ણ સહયોગ અને સમર્થન આપવા અપીલ કરી છે.
ભાજપના તમામ ક્ષત્રિય આગેવાનો ગુજરાત ભાજપે જણાવ્યું હતુ કે રૂપાલાના નિવેદનથી સમાજને જેટલો આઘાત લાગ્યો છે એટલો જ ભાજપના ક્ષત્રિય નેતાઓને પણ લાગ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના વિકાસ કામોમાં દરેક સમાજની જેમ ક્ષત્રિય સમાજનું પણ યોગદાન રહેલું છે. ક્ષત્રિય સમાજ ગૌરવવંતી પરંપરા જાળવી લોકસભા ચૂંટણીમાં પણ ભાજપને જ સમર્થન આપે તેવી અપીલ કરવામાં આવી છે.
ગુજરાત ભાજપે આ અંગે કહ્યું હતુ કે રામ મંદિરના વિધિવત આમંત્રણ છતાં પણ જે પાર્ટીના લોકો ન ગયા હોય તેમને ક્ષત્રિય સમાજ કેવી રીતે સમર્થન આપશે? સનાતન ધર્મનું નુકસાન કરી તૃષ્ટિકરણ કરનારને સમાજ કેવી રીતે સમર્થન આપશે. આ સાથે ભાજપે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે રાહુલ ગાંધીએ પણ રાજા રજવાડાઓનું અપમાન કર્યું અને માફી પણ માંગી નથી જ્યારે ભાજપ પ્રદેશ પ્રમુખે પણ રૂપાલા એ તેમના નિવેદન મામલે ત્રણથીવધુ વાર માફી માંગી છે. ખુદ પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલે પણ બે હાથ જોડી ક્ષત્રિયોને વિનંતિ કરી હતી. આવા સમયે ક્ષમા વીરસ્ય ભૂષણમની પરંપરા સાર્થક કરવાનો આ અમૂલ્ય અવસર છે. આથી ભૂલોને માફ કરી દેશહિતમાં વિચારજો