-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
ભરૂચમાં મતદાન જાગૃતિ માટે નૃત્ય એકેડમી દ્વારા ભવાઇ રજુ કરીને લોકોને જાગૃત કરાયા
વધુને વધુ લોકો લોકશાહીના પર્વમાં જોડાય તે માટે આહવાન

ભરૂચ લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી તા.૭ મેના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે,ભરૂચ લોકસભા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે દિશામાં ચૂંટણી તંત્ર મતદાન જાગૃતિ માટે સઘન પ્રયાસો હાથ ધરાયા છે.
જે અંતર્ગત આજરોજ ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરા, સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ બા રાઓલના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાનું " રન ફોર વોટ" નું આયોજન શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી મતદાન માટે લોકોને જાગૃત કરવા પ્રયાસના કર્યા હતાં સાથે સાથે સાઈ નૃત્ય એકેડમી દ્વારા મતદાન જાગૃતાની ભવાઈ રજૂ કરી ને પણ લોકોને જાગૃત કરવાના પ્રયાસ કર્યા હતા.
આ પ્રસંગે ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે 7 મે મતદાન મથકો પર મતદારોને મુશ્કેલી ન પડે તે પ્રકારની તમામ સુવિધાઓ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે ત્યારે વધુને વધુ લોકો આ લોકશાહીના પર્વમાં મતદાન કરી સહભાગી બનવા અપીલ કરી હતી..