-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
પોરબંદરની સીટી સર્વે કચેરીમાં પ્રોપર્ટીકાર્ડ સહિત કામ માટે અરજદારોને ધકકા
પોરબંદર તા.૧૬ : સીટી સર્વે કચેરીમાં અરજદારોને પ્રોપર્ટી કાર્ડ સહિત કામ સમયસર થતા ન હોય ધકકા થાય છે તે બાબતે આપટના કારાભાઇ ઓડેદરાએ કલેકટરને રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવેલ છે કે, સીટી સર્વે કચેરી દ્વારા ગ્રાઉન્ડ ફલોરના ભાગેથી અરજદારને મિલકતના પ્રોપર્ટીકાર્ડ સહેલાઇથી મળી રહે તે માટે સરકાર દ્વારા બારી ખોલવામાં આવી હતી. આ બારી કોઇપણ જાતની જાણ કર્યા સિવાય બંધ કરી દેવાય છે. વૃધ્ધ લોકોને તથા આમ જનતાને ૩ - ૩ માળ ચડવા ઉતરવા પડે છે અને સીટી સર્વે કચેરીમાં ધકકા ખાવા પડે છે અને સમયસર પ્રોપર્ટીકાર્ડ મળતા નથી. આ બાબતે તાત્કાલીક ઘટતુ કરવા અને ગ્રાઉન્ડ ફલોરના ભાગેથી અરજદારને પ્રોપર્ટીકાર્ડ મળી રહે તે માટે તાત્કાલીક હુકમ કરવા માંગણી છે.
સીટી સર્વે કચેરી તરફથી વોર્ડનં.૧,૨,૩ તથા સીટી લીમીટમાં આવરી લેવામા આવેદ તમામ ગામોની લાંબા સમયથી તબદીલ ટ્રાન્સફર કરવા અંગેની લેન્ડ રેવન્યુ કોડ કલમ ૧૩૫-ડીની નોટીસો કાઢવામાં આવેલ નથી કે બજાવવામાં આવેલ નથી. સીટી સર્વે કચેરીમાં કોઇપણ અરજદાર તરફથી જે તે કામ બાબતે અરજીઓ આપવામાં આવે છે તેની પહોચ અપાતી નથી. જેના લીધે અરજદારોની અરજીઓ ગુમ થઇ જવાનો ભય રહે છે. તાત્કાલીક અરજદારો દ્વારા આપવામાં આવતી અરજીઓની પહોચ આપવામાં આવે તેવો હુકમ કરવા રજૂઆતમાં જણાવેલ છે.