-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
પાણીનું મહત્વ સમજી કરકસરયુકત ઉપયોગ કરોઃ કુંવરજીભાઇ

રાજકોટઃ સુરેન્દ્રનગરઃ જિલ્લાના દેવગઢ ખાતે પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ ગુજરાત રાજય પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા આયોજીત સુખભાદર ડેમ આધારિત ૧૫ ગામોની પાણી પુરવઠા યોજનાનું ભૂમિપૂજન કરતાં જણાવ્યું હતુ કે, છેવાડાના વિસ્તારોમાં વસતા લોકોને યોગ્ય માત્રામાં પીવાનું પાણી મળી રહે તે માટે રાજય સરકાર આયોજનબધ્ધ કાર્ય કરી રહી છે. જેના કારણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આરંભેલું નલ સે જલ અભિયાન ગુજરાતમાં સાચા અર્થમાં સાકાર થઈ રહયું છે. તેમણે પાણીનો કરકસરયુકત ઉપયોગ કરવા અનુરોધ કરતા જણાવ્યું હતુ કે, આજે અંતરિયાળ વિસ્તારો સુધી નર્મદાના નીર પહોંચ્યા છે, ત્યારે લોકોએ પણ પાણીનું મહત્વ સમજી તેનો કરકસર પૂર્ણ ઉપયોગ કરવો પડશે. પૂર્વ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા અને પૂર્વ સાંસદશ્રી શંકરભાઈ વેગડએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતુ. આ યોજના પૂર્ણ થતાં શીરવાણીયા, ગઢ શીરવાણીયા, સાંગોઈ, વાંટાવચ્છ તેમજ તેના બે પરા વિસ્તાર ઉમાપર અને અમરાપર, લાખાવાડ, દેવગઢ, નડાળા, ગરાંભડી, કસવાળી, નોલી તેમજ તેના બે પરા વિસ્તાર રામગઢ અને વિહળનગર, સુદામડા, નિનામા, નાના હરણિયા, શેખદોડ અને પીપળીયા ગામના લોકોને પીવાનું શુધ્ધ પાણી મળી રહેશે. મુખ્ય ઈજનેરશ્રી એલ. જે. ફફલ, અધિક્ષક ઈજનેર સર્વશ્રી એલ. કે. કોટા અને કાનાણી, અગ્રણીઓ સર્વશ્રી મહેશ મકવાણા, રણછોડ રબારી ઉપસ્થિત રહેલ.