-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
હત્યાના પ્રયાસના કેસમાં જેલમાંથી પેરોલ જંપ કરનાર ઔરંગઝેબ ઉર્ફે ટીપુ પકડાયો
ક્રાઇમ બ્રાંચના એએસઆઇ ચેતનભાઇ ચાવડા અને કરણભાઇ મારૂની બાતમી

રાજકોટ,તા. ૨૧: અમરેલીમાં હત્યાના પ્રયાસના ગુનામાં રાજકોટ જેલમાંથી પેરોલ જંપ કરનાર કેદીને ક્રાઇમ બ્રાંચની ટીમે આજીડેમ ચોકડી પાસેથી પકડી લીધો હતો. મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રાવલે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપતા ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ યુ.બી.જોગરાણા, એએસઆઇ બી.આર. ગઢવી, સી.એમ.ચાવડા, હેડ કોન્સ. સંતોષભાઇ મોરી, જયંતીભાઇ ગોહેલ, અભિજીતસિંહ જાડેજા, અશોકભાઇ ડાંગર, ઇન્દ્રજીતસિંહ ગોહીલ તથા કરણભાઇ મારૂ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે એએસઆઇ ચેતનભાઇ ચાવડા અને કરણભાઇ મારૂને મળેલી બાતમીના આધારે આજીડેમ ચોકડી પાસેથી અમરેલીના ઔરંગઝેબ ઉર્ફે ટીપુ ઇકબાલભાઇ નાગોરી (ઉવ.૩૦)ને પકડી લીધો હતો. પકડાયેલો કેદી અમરેલીમાં થયેલ હત્યાના પ્રયાસના ગુનામાં રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા ભોગવતો હતો તે પેરોલ રજા પર ગયા બાદ ફરાર થઇ ગયો હતો.