-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
અદાલતોમાં પક્ષકારોની હાજરી ટાળવા વોરંટ નહી કાઢવા બાર. એસો.ની અદાલતોને વિનંતી
કોરોના વાયરસ સંદર્ભે તા.૧૬ થી ૩૧ માર્ચ દરમ્યાન
રાજકોટ, તા., ૧૬: રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ બકુલભાઇ વિ.રાજાણીની સુચના મુજબ આ સરકયુલર ઠરાવ-વિનંતી પત્રથી ઠરાવે છે કે વર્તમાન સમયમાં વૈશ્વીક મહામારીનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહેલ કોરોના વાયરસના કારણે ગુજરાત હાઇકોર્ટ દ્વારા સુયોમોટા અજ્ઞાન લઇ ગુજરાત સરકારશ્રી તથા સચીવશ્રીને નોટીસ પાઠવેલ છેકે તાબાની અદાલતોમાં પક્ષકારોની હાજરીનો આગ્રહ ટાળો તેવી માર્મીક ટીપ્પણી કરેલ છે જે ધ્યાને લઇ રાજકોટ બાર એસોસીએશન દ્વારા આજરોજ સરકયુલર ઠરાવ કરવામાં આવે છે કે તારીખ ૧૬-૩-ર૦ર૦ થી તારીખ ૩૧-૩-ર૦ર૦ સુધી પક્ષકારો તથા એડવોકેટશ્રીઓની ગેરહાજરી દરગુજર કરી આગળની કાનીનુ કાર્યવાહી ન કરવા તથા સામે વોરંટ નહી કાઢવા તથા પક્ષકારો અને એડવોકેટશ્રીઓની ગેરહાજરીમાં કોઇ પણ કેસોનો નિકાલ નહી કરવા રાજકોટ બાર એસોસીએશને તમામ કોર્ટોના જજશ્રીને વિનંતી કરે છે.
આ સરકયુલર ઠરાવને રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ બકુલભાઇ વિ. રાજાણી ઉપપ્રમુખ ઇન્દ્રસિંહ ઝાલા સેક્રેટરી ડો. જીજ્ઞેશભાઇ જોશી જોઇન્ટ સેકેટરી કેતનભાઇ દવે ટ્રેઝરર રક્ષીતભાઇ કલોલા લાયબ્રેરી સેક્રેટરી સંદીપભાઇ વેકરીયા તથા કારોબારી સભ્યશ્રી અજયભાઇ પીપળીયા, કેતનભાઇ મંડ, ધવલભાઇ મહેતા, પીયુષભાઇ સખીયા, વિજયભાઇ રૈયાણી, પંકજભાઇ દોંગા, વિવેકભાઇ ધનેશા, મનીષભાઇ આચાર્ય, કૈલાશભાઇ જાની, રેખાબેન તુવાર દ્વારા સમર્થન આપવામાં આવેલ છે.