-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
કેનેડાના તબીબોએ કોરોના માટે ગાંજામાંથી દવા બનાવી
વેક્સિનની માફક આ દવાની સાઈડ ઈફેક્ટ નહીં રહે : કોરોના લીધે થનારી હૃદય સંબંધિત બીમારીઓથી બચાવશે

ઓટાવા, તા. ૨૧ : કોરોના વાયરસની સારવાર ગાંજામાંથી બનાવવામાં આવેલી દવાથી કરવામાં આવશે. કેનેડાની એક દવા કંપનીએ એક એવી દવા બનાવી છે જે કોરોના માટે બનાવવામાં આવેલી વેક્સિનની જેમ સાઈડ ઈફેક્ટ પણ કરશે નહીં. આ સિવાય આ કોરોના વાઈરસના કારણે થનારી હૃદય સંબંધિત બીમારીઓથી પણ બચાવશે. હાલ આ કંપની ભારતમાં પોતાની દવાની માણસ પર ટ્રાયલ માટે ભારત સરકાર સાથે વાત કરી રહી છે.
કેનેડાની દવા કંપની અકસીરાનું માનવું છે કે ગાંજામાંથી બનનારી દવા અમેરિકાના કેટલાક રાજ્યોમાં માન્ય છે. કેનેડામાં પણ કેટલાક રાજ્યોમાં ગાંજાનેલીગલ જાહેર કરવામાં આવ્યો છે. આનાથી બનનારી દવાઓમાં સાઈકોએક્ટિવ પ્રોપર્ટી હોય છે. આ માનવના તંત્રિકા તંત્રને આરામ આપે છે. જેના કારણે શરીરના અન્ય ભાગોમા થનારા દર્દ અને મુશ્કેલીઓથી પણ રાહત મળે છે.
કોરોના વાઈરસથી સંક્રમિત લોકોને હૃદય સંબધિત બીમારી થાય છે જેને એરિથમિયા કહે છે. આ બીમારીમાં હાર્ટબીટ યોગ્ય રીતે ચાલતા નથી. ક્યારેક ઝડપી ક્યારેક ધીમા ચાલે છે જ્યારે સામાન્ય રીતે હૃદયના ધબકારા એક સામાન્ય ફ્લોમાં ચાલે છે.
હૃદયમાં એરિથમિયા ત્યારે થાય છે જ્યારે હૃદયમાં જનારી ઈલેક્ટ્રિકલ ઈમ્પલ્સેસ યોગ્ય રીતે કામ કરતી નથી. જો આની યોગ્ય સમયે તપાસ કરવામાં આવે નહીં તો હાર્ટ એટેક આવવાની શંકા રહે છે અથવા હૃદય સંબંધિત અન્ય ગંભીર બીમારીઓ થઈ શકે છે.
અકસીરા દવા કંપનીની કોરોના માટે બનાવવામાં આવેલી દવાનું નામ કેનાબિડિયોલ છે. દવા કંપનીનો દાવો છે કે તેમની દવા કેટલાક પ્રકારની બીમારીઓની સારવાર કરી રહી છે. જેમ મોટી બીમારીની સારવાર કરે છે. કીમોથેરાપીથી થનારા સાઈડ ઈફેક્ટને ઓછુ કરે છે. જેમાં એન્ટિવાઈરલ ખૂબીઓ પણ છે. તેથી કંપનીનો દાવો છે કે આ કોરોના વાઈરસની સારવાર પણ કરી દેશે. અકસીરા કંપનીનો દાવો છે કે કેનાબિડિયોલ દવાના કારણે દિલની કોશિકાઓમાં એરિથમિયા બીમારીની અસર થતી નથી. આ સાથે જ તે હાઈ-ગ્લુકોઝના કારણે થનારી મુશ્કેલીને ઓછી કરી દે છે.