-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
પાકિસ્તાનમાં લઘુમતી કોમની યુવતીઓનું અપહરણ કરવાનો સિલસિલો હજુ પણ ચાલુ : પંજાબ પ્રાંતમાંથી 22 વર્ષીય શીખ યુવતીનું અપહરણ : જબરદસ્તી મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવી શાદી કરાવી લીધાની યુવતીના પિતાની ફરિયાદ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં લઘુમતી કોમની યુવતીઓનું અપહરણ કરવાનો સિલસિલો હજુ પણ ચાલુ છે.તાજેતરમાં પંજાબ પ્રાંતમાંથી 22 વર્ષીય શીખ યુવતીનું અપહરણ કરાયું છે.તથા તેને જબરદસ્તી મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવાયો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગત મુજબ પંજાબના હસન અબ્દલ શહેર કે જ્યાં શીખોનું પવિત્ર તીર્થધામ ગુરુદ્વારા પંજાસાહેબ આવેલું છે ત્યાં રહેતા પરિવારની યુવતી કચરો બહાર ફેંકવા ઘરની બહાર ગયા પછી પછી નહીં આવતા પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી.તેથી તેના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.પરંતુ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે યુવતીએ ભાગી જતા પહેલા તેના પરિવારને વ્હોટ્સ એપ મેસેજથી જાણ કરી જણાવ્યું હતું કે તે મુસ્લિમ ધર્મ અંગીકાર કરી શાદી કરી રહી છે.
પોલીસ તંત્ર દ્વારા યુવતીને કોર્ટમાં રજુ કરવા માટે તલાશ ચાલુ કરી દેવાઈ છે.દરમિયાન યુવતીના પિતાએ ધાર્મિક બાબતોના મંત્રી નુરુલ હક કાદરી સમક્ષ પણ ફરિયાદ કરી છે.ઘટનાને ગુરુદ્વારા પ્રબંધક કમિટીએ પણ સમર્થન આપ્યું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.