-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
કોરોના બાદ ચીનથી ફેલાયું વધુ એક ઘાતક ઈન્ફેક્શનઃ જે પુરૂષોને બનાવે છે નપુંસક
અત્યાર સુધી ૩ હજારથી વધુ લોકો સંક્રમિત થયા છેઃ એટલું જ નહિ, આ બીમારી હવાથી પણ ફેલાઈ રહી છેઃ જેથી તે વધુ ઘાતક સાબિત થઈ રહી છે : આ બીમારી વ્યક્તિથી માણસમાં ફેલાતો નથી, પરંતુ પ્રાણીઓ કે તેનાથી ઈન્ફેક્ટેડ પ્રાણીઓનું માંસ ખાવામાં ફેલાય છે.

બીજીંગ,તા.૨૧: વર્ષ ૨૦૨૦માં પૃથ્વીવાસીઓ શાંતિથી બેસી કે સૂઈ શક્યા નથી. ક્યારેક કોઈ કુદરતી હોનારત, ક્યાંક આગ, ક્યાંક કોરોના, તો ક્યાંક અચાનક આવી ગયેલી મુસીબતો. સમગ્ર ૨૦૨૦નાં વર્ષ લોકો માટે પીડાદાયક બની રહ્યું છે. દુનિયાભરાં ફેલાયેલ કોરોના વાયરસને કારણે ચીન બદનામ થઈ ગયું છે. હવે સપ્ટેમ્બર મહિનામાં ચીનમાં વધુ એક બીમારી ફેલાતા હડકંપ મચી ગયો છે. રિપોર્ટસ અનુસાર, ચીનમાં એક નવો બેક્ટેરીયલ ઈન્ફેક્શન લોકોમાં ફેલાયુ છે. જેને કારણે અત્યાર સુધી ૩ હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. એટલું જ નહિ, આ બીમારી હવાથી પણ ફેલાઈ રહી છે. જેથી તે વધુ ઘાતક સાબિત થઈ રહી છે. તેનાથી સંક્રમિત વ્યક્તિને પહેલા તાવ આવે છે, જેને માલ્ટા તાવ નામ આપવામાં આવ્યું છે. સાથે જ તેનાથી પુરુષોમાં નપુંસતકા આવવાનો ખતરો પણ રહે છે.
ચીનના ઉત્તર પૂર્વીય વિસ્તારમાં ત્રણ હજારથી વધુ લોકોમાં એક નવું બેક્ટેરીયલ ઈન્ફેક્શન ફેલાઈ ગયુ છે. આ બેક્ટેરીયા ચીનની એક સરકારી બાયોફાર્માસ્યુટિકલ પ્લાન્ટમાં લીક થયા બાદ ફેલાયો છે.
ચીનના લાંઝુમાં અત્યાર સુધી ૩ હજાર ૨૪૫ લોકોમા બ્રુસલોસિસ બેક્ટેરીયા મળી આવ્યા છે. આ બીમારી વ્યક્તિથી માણસમાં ફેલાતો નથી, પરંતુ પ્રાણીઓ કે તેનાથી ઈન્ફેક્ટેડ પ્રાણીઓનું માંસ ખાવામાં ફેલાય છે. સાથે જ ઈન્ફેક્ટેડ પ્રાણીઓના ડેરી પ્રોડક્ટ્સથી પણ વાયરસ ફેલાયો છ.
જોકે, આ વાયરસથી કોઈ મોતની પુષ્ટિ હજી સુધી થઈ નથી. એરિયામાં ત્રણ હજારથી વધુ લોકોના સંક્રમિત થવાથી અત્યાર સુધી ૨૨ હજાર લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. અમેરિકન ઈન્સ્ટીટ્યૂટ સીડીસીના અનુસાર, આ ઈન્ફેક્શનથી કેટલાક એવા નુકસાન થાય છે, જે ખામીને દૂર કરવું મુશ્કેલ છે.
તેમાંથી એક છે પુરુષોમાં નપુંસકતા ફેલાવવી. કહેવામાં આવી રહ્યું છે કે, આ બેક્ટેરીયા પુરુષોમાં નપુંસકતા પેદા કરે છે. ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં પણ આ બેક્ટેરીયા આ વિસ્તારમાં ફેલાયા હતા. અંદાજે ૨૦૦ લોકો તેના ઝપેટમાં આવ્યા હતા.
જે ફેકટરીમાંથી આ બેક્ટેરીયા ફેલાયા, ત્યાં બ્રુસેલા વેક્સીન બનતી હતી. તે બનાવવા માટે ત્યાં એક્સપાયર્ડ ડિસઈન્ફેક્ટન્ટ રાખવામાં આવ્યું હતું. આ વેક્સીનનો ઉપયોગ પ્રાણીઓ માટે, ખાસ કરીને બકરીઓ-દ્યેંટા પર કરવામાં આવ્યો હતો. આ એક્સપાયર્ડ ડિસઈન્ફેક્ટેન્ટ એક ટેન્કમાં રાખવામાં આવ્યો હતો, જેમાંથી તે સ્પ્રેડ થયો હતો.
સ્પ્રેડ થવાની માહિતી મળ્યા બાદ ટેન્કરને ખાલી કરવામાં આવ્યું હતું. આ દરમિયા તેમાં રખાયેલ લિક્વીડ પદાર્થ આસપાસ ફેલાઈ ગયું હતું. તેમાંથી બ્રૂસેલોસિસ ફેલાવનારા બેક્ટેરીયા હતા. જે પણ તેના સંપર્કમાં આવ્યા, તેનાથી તેઓ સંક્રમિત થયા હતા.
૧૩ જાન્યુઆરી, ૨૦૨૦માં લોન્ઝોઉ બાયોલોજિકલ ફાર્માસ્યુટિકલ ફેક્ટરીના વેક્સીનેશન લાઈસન્સને કેન્સલ કરી દેવાયું હતું. આ ફેક્ટરી પર લોકોનો જીવ જોખમમાં નાખવાનો આરોપ લાગ્યો હતો. તેમજ ૮ લોકોને સજા સંભળાવવામાં આવી હતી.
બેક્ટેરીયા ફેલાયા બાદ પ્લાન્ટના માલિકે તેની માફી માંગી હતી. સરકારે પહેલા જ તેનું લાઈસન્સ કેન્સલ કરી દીધું હતું. હવે જેટલા પણ લોકો તેનાથી સંક્રમિત થયા છે, તેઓને ઓક્ટોબર મહિનામાં પ્લાન્ટ તરફથી વળતર આપવામાં આવ્યું છે.