-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
અમેરિકી જર્નલનો સ્વીકાર
ગંગાજળ વાપરનાર ૯૦ ટકા લોકો કોરોનાથી દુર

નવી દિલ્હી, તા.૨૧: બીએચયૂ આઈએમએસની ટીમે ગંગા કિનારે રહેનારા પર કોરોનાની અસરને શોધવાનો પ્રયત્ન કર્યો હતો. ટીમે જે રિસર્ચ રિપોર્ટ રજૂ કર્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે ગંગાજળના નિયમિત ઉપયોગ કરનારા પર કોરોનાની અસર ૧૦ ટકા જ છે. રિસર્ચ પેપરને અમેરિકાની ઈન્ટરનેશનલ જર્નલ ઓફ માઈક્રોબાયોલોજીના અંકમાં પ્રકાશિત કર્યો છે.
બીએચયૂએ ન્યૂરોલોજી વિભાગના વિભાગાધ્યક્ષ ડો. રામેશ્વર ચૌરસિયા, ન્યૂરોલોજિસ્ટ પ્રો. વીએન મિશ્રાની આગેવાનીમાં ટીમે પ્રાથમિક સર્વેમાં જોયુ હતું કે નિયમિત ગંગા સ્નાન અને ગંગાજળનું કોઈને કોઈ રીતે સેવન કરનારા ૯૦ ટકા લોકો પર કોરોનાના સંક્રમણની અસર નથી.
ટીમે પોતાના સંશોધનમાં દાવો કર્યો છે કે સ્નાન કરનારા ૯૦ ટકા લોકો કોરોનાના સંક્રમણથી બચેલા છે. એ જ રીતે ગંગા કિનારે ૪૨ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ બાકીના શહેરોની સરખામણીએ ૫૦ ટકાથી ઓછુ છે અને સંક્રમણ બાદ તે જલ્દીથી સાજા થઈ જાય છે.
ગંગાજળ પર રિસર્ચ કરનારી ટીમે ગૌમુખથી લઈને ગંગા સાગર સુધીના ૧૦૦ સ્થળો પર સેમ્પલ લીધા હતા. કોરોનાની ફેઝ થેરાપી માટે ગંગાજળના નેજલ સ્પ્રે પણ તૈયાર કર્યા છે. જેની ડિટેલ રિપોર્ટ આઈએમએસની એથિકલ કમિટીને આપવામાં આવી છે. ૨૫૦ લોકો પણ ટ્રાયલ પણ કરવામાં આવ્યા છે.