-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Monday, 16th March 2020
કમલનાથનું સંકટ ટળ્યું : મધ્યપ્રદેશ વિધાનસભા 26મી સુધી મોકૂફ : ભાજપ સુપ્રીમકોર્ટના શરણે : ફ્લોર ટેસ્ટ કરાવવા માંગ
કોરોના વાઇરસના કારણે તા. 26મી માર્ચ સુધી ગૃહને મોકૂફ કરી દેવાયું

ભોપાલ :મધ્ય પ્રદેશમાં ચાલી રહેલાં રાજકીય સંકટની વચ્ચે રાજ્યપાલ લાલજી ટંડને શનિવારે મોડી રાત્રે કહ્યું કે સોમવારે વિધાનસભામાં તેમના ભાષણ પછી તરત જ ફ્લોર ટેસ્ટ કરવાનું કહ્યું છે.
જોકે, કોરોના વાઇરસના કારણે તા. 26મી માર્ચ સુધી ગૃહને મોકૂફ કરી દેવાયું છે, એટલે હાલ પૂરતું કમલનાથ સરકાર પર કોઈ સંકટ નથી.
ન્યૂઝ એજન્સી એ.એન.આઈ.ના રિપોર્ટ મુજબ, ભાજપે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે અને વિશ્વાસમત પરીક્ષણની માગ કરી છે.
સોમવારથી મધ્ય પ્રદેશ વિધાનસભાનું બજેટસત્ર શરૂ થયું, પરંતુ તેની કાર્યસૂચિમાં 'શક્તિ પરીક્ષણ'નો ઉલ્લેખ જ ન હતો.
આ પહેલાં પોતાના ભાષણમાં રાજ્યપાલ લાલજી ટંડને કહ્યું કે દરેકે બંધારણીય નિયમોનું પાલન કરવું જોઈએ, જેથી કરીને મધ્યપ્રદેશની ગરિમા જળવાઈ રહે.
(1:11 pm IST)