-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
રાજસ્થાનમાં સવાઈ માધોપુરમાં ભયાનક માર્ગ અકસ્માત: એક જ પરિવારના 6 સભ્યોના મોત :કારનો કચ્ચરઘાણ
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના બનાસ કલવર્ટ પાસે કાર અને વાહન વચ્ચે ટક્કર

રાજસ્થાનમાં સવાઈ માધોપુરમાં ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં એક જ પરિવારના 6 સભ્યોના મોત નિપજ્યા છે
મંદિરે દર્શન માટે જતા હતા અકસ્માત એટલો ગંભીર હતો કે કાર સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. પોલીસે તમામ મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. ગંભીર રીતે ઘાયલ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે માર્ગ અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો એક જ પરિવારના છે. દરેક લોકો સીકરથી સવાઈ માધોપુર જિલ્લામાં મંદિરના દર્શન કરવા જઈ રહ્યા હતા
રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં રવિવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. જિલ્લાના બૌલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના બનાસ કલ્વર્ટ પાસે એક કાર અને વાહનની ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 2 બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો સીકર જિલ્લાના ખંડેલાના રહેવાસી છે. બધા એક જ પરિવારના સભ્યો હતા.
આ તમામ લોકો ત્રિનેત્ર ગણેશજીના દર્શન કરવા માટે સીકરથી સવાઈ માધોપુરના રણથંભોર જઈ રહ્યા હતા. માર્ગ અકસ્માતની માહિતી મળતા જ બૌલી પોલીસ સ્ટેશન અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા બાળકો અને તમામ છ મૃતદેહોને બાઉલીના સીએચસીમાં લઈ જવામાં આવ્યા હતા
પોલીસ અધિક્ષક દિનેશ યાદવના જણાવ્યા અનુસાર, બૌલી પોલીસ સ્ટેશનને માહિતી મળી હતી કે એક્સપ્રેસ વે પર માર્ગ અકસ્માત થયો છે. આ પછી પોલીસની એક ટીમ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આ અકસ્માત અજાણ્યા વાહનની ટક્કરથી થયો હોવાનું કહેવાય છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારને ભારે નુકસાન થયું હતું. કારમાંથી મૃતદેહો ભાગ્યે જ બહાર કાઢી શકાયા. માર્ગ અકસ્માતમાં ઘાયલ છ વર્ષની દીપાલી શર્મા અને 10 વર્ષીય મનન શર્માને સામુદાયિક આરોગ્ય કેન્દ્ર, બાઉલીમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેને જયપુર રીફર કરવામાં આવ્યો હતો.