-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
બ્રાઝિલમાં પૂર અને વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત હજારો લોકો ગુમ
બ્રાઝિલમાં આ અઠવાડિયામાં અતિભારે વરસાદને કારણે અંદાજે 57 થી વધુ લોકોના કરુણ મોત નિપજ્યા છે

બ્રાઝિલઃ બ્રાઝિલમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત બની ગયું છે. વિસ્તારમાં પૂર અને ભૂસ્ખલનના કારણે ભારે તારાજી સર્જાઈ છે. દક્ષિણના રાજ્ય રિયો ગ્રાન્ડે ડો સુલ માં તેની સૌથી વધુ અસર જોવા મળી છે. ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ રસ્તા ખરાબ રીતે ધોવાઈ ગયા છે. હજારો લોકોને ઘર છોડવાની ફરજ પડી છે.
બ્રાઝિલમાં આ અઠવાડિયામાં અતિભારે વરસાદને કારણે અંદાજે 57 થી વધુ લોકોના કરુણ મોત નિપજ્યા છે. હજારો લોકો લાપતા પણ થયા છે. રેસ્ક્યુ ટીમ સતત બચાવ કાર્યમાં લાગેલી છે. શનિવારે સિવિલ પ્રોટેક્શન દ્વારા શેર કરવામાં આવેલા નવીનતમ ડેટા અનુસાર વિનાશક પૂરથી 281 નગરપાલિકાઓને અસર થઈ છે.
સ્થાનિક સરકારે જે વિસ્તારોમાં 67,000 થી વધુ લોકો પ્રભાવિત થયા છે તે વિસ્તારોમાં આપત્તિની સ્થિતિ જાહેર કરી છે. પૂરને કારણે લગભગ 10,000 લોકો વિસ્થાપિત થયા છે અને 4,500 થી વધુ લોકો અસ્થાયી આશ્રયસ્થાનોમાં છે.