-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
કોંગ્રેસે ઓરિસ્સાના પુરી લોકસભા બેઠક પરથી જય નારાયણ પટનાટકને ઉમેદવાર બનાવ્યા ,
સુચરિતા મોહંતીએ ટિકિટ પાછી આપતા કોંગ્રસે જાય નારાયણ પાટનાયકને ઉમેદવાર બનાવ્યા

કોંગ્રેસ પાર્ટીએ હવે સુચરિતા મોહંતીના સ્થાને જય નારાયણ પટ્ટનકને ઓડિશાની પુરી લોકસભા સીટ પરથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપના નેતા સંબિત પાત્રાનો સામનો જય નારાયણ પટનાયક સામે છે. સંબિત પાત્રાએ ગત વખતે પણ આ બેઠક પરથી ચૂંટણી લડી હતી, પરંતુ બીજેડી ઉમેદવાર પિનાકી મિશ્રાના હાથે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
કોંગ્રેસના પૂર્વ સાંસદ બ્રજમોહન મોહંતીની પુત્રી સુચરિતા મોહંતીએ શુક્રવારે કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલને એક ઈમેલ મોકલીને દાવો કર્યો હતો કે પુરી લોકસભા મતવિસ્તારમાં તેમના પ્રચાર પર ખરાબ અસર પડી છે કારણ કે પાર્ટીએ આર્થિક મદદ કરવાનો ઇનકાર કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસના ઓડિશા પ્રભારી અજય કુમારે સ્પષ્ટપણે તેમને પોતાના સંસાધનોની મદદથી ચૂંટણી લડવા માટે કહ્યું છે
સુચરિતાએ કહ્યું કે હું એક પત્રકાર હતી અને 10 વર્ષ પહેલા રાજકારણમાં આવી હતી. પુરીમાં પ્રચારમાં મેં મારું સર્વસ્વ આપ્યું. મેં પ્રગતિશીલ રાજનીતિ માટેના મારા અભિયાનના સમર્થનમાં ભંડોળ એકત્ર કરવાની ઝુંબેશ ચલાવવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ હજુ સુધી બહુ સફળતા મળી નથી. મેં અંદાજિત ઝુંબેશ ખર્ચને ન્યૂનતમ રાખવા માટે પણ મારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા