-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
યુદ્ધ જહાજ INS વિરાટને તોડો નહીં, મ્યુઝિયમ બનાવો : લોકલાગણીની કેન્દ્રીય મંત્રીને રજૂઆત
ગુજરાતના એક ટૂર ઓપરેટરે તો મ્યુઝિયમમાં ફેરવવા વિરાટ જહાજને સુધીની તૈયારી દર્શાવી

અમદાવાદ : ભારતીય નૌ સેનામાં લાંબા સમય સુધી સેવા આપનાર યુદ્ધ જહાજ INS વિરાટની અંતિમ સફર શરૂ થઈ ગઈ છે ભારતીય નૌકાદળ શાન ગણાતું આઈએનએસ વિરાટ એકાદ-બે દિવસમાં જ ભાવનગર સ્થિત અલંગ શિપ બ્રેકીંગ યાર્ડમાં પહોંચી રહ્યું છે. નેવીમાં 30 વર્ષ સુધી સેવા આપનાર આ જહાજને 2017માં રિટાયર કરાયુ હતુ. INS વિરાટએ અલંગ ખાતે ભંગાણ માટે આવનારૂ નૌકાદળનું સૌથી મોટું જહાજ છે.
ભારતીય નૌકાદળનું વિમાન વાહક જહાજ INS વિરાટ તોડવામાં ન આવે તેવી સોશિયલ મીડિયામાં માંગ ઉઠી છે. આ ઇતિહાસ ધરાવતા આ ભવ્ય જહાજને મ્યુઝિયમ તરીકે ફેરવવામાં આવે તો નવી પેઢી નૌકાદળ ની જાણકારી મેળવી શકે આ જ વિચાર સાથે વિરાટ નું વિસર્જન ન થાય તે માટે સોશિયલ મીડિયામાં માંગ ઉઠી છે.
ગુજરાતમાં પણ હવે વિરાટ જહાજને મ્યુઝિયમમાં ફેરવવા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સુધી રજૂઆત પહોંચી છે. એટલું જ ગુજરાતના એક ટૂર ઓપરેટરે તો મ્યુઝિયમમાં ફેરવવા વિરાટ જહાજ ને સુધીની તૈયારી દર્શાવી છે.
ભારતીય નૌકાદળ શાન ગણાતું આઈએનએસ વિરાટ એકાદ-બે દિવસમાં જ ભાવનગર સ્થિત અલંગ શિપ યાર્ડમાં પહોંચી રહ્યું છે. ૨૮૦૦૦ ટન વજન ધરાવતું વિરાટઅલંગ શિપયાર્ડ અલંગ શિપ યાર્ડ માં ભાંગીને ભૂક્કો થઈ જશે ત્યારે આ વિરાટ જહાજ ને મ્યુઝિયમ રૂપે મૂકવા માંગ ઉઠી રહી છે.