-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
વડોદરાના શાસ્ત્રી બ્રિજ નજીક આસપાસના વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બંધ કરી દેતા લોકોએ વિરોધ દેખાડ્યો

વડોદરા: શહેરના શાસ્ત્રી બ્રિજની આસપાસના વિસ્તારમાં અગાઉ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હતું તે બંધ કરીને નવાયાર્ડ વિસ્તારમાં લઇ જવામાં આવ્યું હતું. જેથી આ વિસ્તારની પ્રજાને આરોગ્યની સેવા મળતી નથી. જેથી આ વિસ્તારમાં ફરી આરોગ્ય કેન્દ્ર શરૂ કરવાની માંગણી કરવામાં આવી હતી.
વડોદરા શહેરમાં આરોગ્ય વિભાગની ગાઈડ લાઈન પ્રમાણે 50,000ની વસ્તીમાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવાનો હોય છે. તેવી સમયે વર્ષોથી ચાલતા શાસ્ત્રી બ્રિજ પાસેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને બંધ કરી દેવામાં આવ્યું હતું અને નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નવા યાર અમરનગરમાં શરૂ કરવામાં આવ્યું હતું. જેથી આ વિસ્તારમાં આવેલી વસાહતોનાના લોકોને આરોગ્યની સુવિધાથી વંચિત કરવામાં આવ્યા હતા.
આ અંગે આજે સ્થાનિક રહીશોએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી કે શાસ્ત્રી બ્રિજ નીચેના વિસ્તારમાં આવેલી વસાહતોમાં 20,000થી વધુ લોકો રહે છે. તેઓ માટે અલગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધા ઊભી કરવામાં આવે. જેથી હાલની પરિસ્થિતિમાં લોકોને પ્રાથમિક આરોગ્યની સુવિધા મળી રહે તેમ છે.