-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
ગાંધીનગર પોલીસની સલામતી શાખાના ઈન્સ્પેક્ટરે મોડી રાત્રે સચિવાલય સંકુલમાં લમણે ગોળીમારી આપઘાત કરતા અરેરાટી મચી જવા પામી: તપાસ શરૂ

ગાંધીનગર:પોલીસની સલામતી શાખાના પોલીસ ઈન્સ્પેકટરે ગઈકાલે મોડી સાંજે સચિવાલય સંકુલમાં જ બ્લોક નં.રની સામે પોતાની કારમાં સર્વિસ રિવોલ્વરથી લમણે ગોળી મારી લઈ આપઘાત કરી લીધો હતો. જે ઘટનાના પગલે પરિવાર સહિત સમગ્ર જિલ્લા પોલીસ બેડામાં પણ શોકની લાગણી પ્રવર્તી છે.
આ પોલીસ અધિકારીએ કયા કારણોસર અંતિમ પગલું ભર્યું તે જાણવા માટે સે-7 પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. જો કે તેમની કારમાંથી પોલીસને કોઈ ચીઠ્ઠી મળી આવી નથી. હાલ તો આપઘાતની તમામ થીયરી ઉપર પોલીસ તપાસ કરી રહી હોવાનું જાણવા મળી રહયું છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગરના સરગાસણ ખાતે આવેલા સંપદ પ્રાઈમ ફલેટ ખાતે રહેતાં અને મુળ બાયડ તાલુકાના વતની એવા પોલીસ ઈન્સ્પેકટર પ્રિતેશ જે.પટેલ ઉવ.41ની તાજેતરમાં જ માણસાથી ગાંધીનગર સચિવાલય સલામતી શાખામાં બદલી કરવામાં આવી હતી. સચિવાલયમાં નિત્યક્રમ મુજબ સાંજે ફરજ પુરી કરીને તેઓ ઘરે જતાં રહેતા હતા. સચિવાલય સલામતી શાખાના પોલીસ ઈન્સ્પેકટર પ્રિતેશ જે.પટેલના પત્નિ પણ શિક્ષિકા છે અને તેઓ ખુદ પણ સરકારી શિક્ષક તરીકે નોકરી કરતાં હતા. વર્ષ ર008માં પીએસઆઈની પરીક્ષા પાસ કરીને પોલીસ ખાતામાં જોડાયા હતા અને પ્રમોશન મેળવી પોલીસ ઈન્સ્પેકટર બન્યા હતા. પરિવારમાં બે સંતાનોના અભ્યાસ માટે તેઓ ગાંધીનગર રહેવા માટે આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.