-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Monday, 16th March 2020
કપડવંજ-નડિયાદ રોડ પર ગમખ્વાર અકસ્માત:એસ.ટી. બસ ચાલકે ઓવરટેક કરવાની લ્હાયમાં ત્રણ મોટર સાયકલને હડફેટે લીધી:ત્રણ શખ્સોના એક સાથે મૃત્યુ નિપજતા અરેરાટી

નડિયાદ:કપડવંજ-નડિયાદ રોડ પર આવેલ દાસલવાડા ગામે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એસ. ટી. બસના ચાલકે પોતાનું વાહન ઓવરટેક કરવા જતા આગળ જતી મોટર સાયકલને અડફેટે લીધી હતી. જેમાં ઘટના સ્થળે જ ત્રણ વ્યક્તિઓના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજયા હતા.આ બનાવ અંગે આંતરસુબા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કઠલાલ તાલુકાના પોરડા ભાટેરામાં રહેતા મુકેશભાઇ પરમાર ઉં.૨૩, કોમલબેન પરમાર ઉં.૨૦ અને જયશ્રીબેન પરમાર ઉં.૧૮ પોતાની મોટર સાયકલ પર ઢળતી બપોરે કઠલાલ થી કપડવંજ તરફ જઇ રહ્યા હતા. આ સમયે દાસલવાડા પાસે એક અસ. ટી. બસના ચાલકે આગળ જતા ડમ્ફરનો ઓવરટેક કરવા જતા મુકેશભાઇની મોટર સાયકલને ટક્કર મારી હતી. જેથી મોટર સાયકલ પર સવાર ત્રણેય વ્યક્તિઓ રોડ પર પટકાયા હતા, અને તેમને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમના ઘટના સ્થળે મૃત્યુ નિપજયા હતા.
(5:53 pm IST)