-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
કોરોનાને લઇ ગુજરાત પૂર્ણ એલર્ટ : ખાસ ટ્રેનિંગ અપાઈ
આશાવર્કરોને પણ ટ્રેનિંગ આપવામાં આવી : ગુજરાતમાં હાલ એન-૯૫ માસ્ક ૪૫૦૦૦થી વધુ અને પીપીઈ કિટ ૨૬૦૦૦ ઉપલબ્ધ : વિવિધ પગલા લેવાયા

અમદાવાદ, તા. ૧૫ : કોરોના વાયરસને રોકવા માટે ગુજરાત સરકાર પણ સંપૂર્ણપણે સજ્જ છે. કેન્દ્ર સરકારની સૂચનાઓને પણ પાળવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર તરફથી માસ્ક અને સેનિટાઇઝરને જરૂરની વસ્તુમાં સામેલ કરવામાં આવી ચુકી છે. રાજ્યમાં હાલમાં એન-૯૫ માસ્ક ૪૫૦૦૦થી વધારે છે. આ ઉપરાંત પીપીઈ કિટ ૨૬૦૦૦થી વધારે રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ટ્રિપલ લેયર માસ્કના ૬ લાખથી વધુનો જથ્થો રાખવામાં આવ્યો છે. ગુજરાત સરકાર વધુ જથ્થાને ઉપલબ્ધ કરાવવાના પ્રયાસમાં છે. રાજ્યમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સહકાર સાથે ૫૫૩૦ તબીબો અને આઈએમએના સભ્યો તથા ૨૪૨૩થી વધુ આરોગ્ય અધિકારી, ૧૪૭૦૦થી વધુ પેરામેડિકલ સ્ટાફ અને ૩૦૦૦૦થી વધુ આશા વર્કરોને વિશેષ ટ્રેનિંગ આપવામાં આવી છે. રાજ્યના તમામ જિલ્લા, મહાનગરપાલિકાઓની કુલ ૧૫૦ રિસ્પોન્સ ટીમના સભ્યો અને અધિકારીઓને ટ્રેનિંગ આપવામાં આવી ચુકી છે.
ઇન્ફેક્શન કન્ટ્રોલ નર્સને અમદાવાદમાં કોરોના વાયરસના સંદર્ભમાં રાજ્ય સ્તરની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં ૨૫૦ બેડની વ્યવસ્થા કોરોનાને ધ્યાનમાં લઇને કરવામાં આવી છે. અમદાવાદમાં જીએમઈઆરએસ મેડિકલ કોલેજ-સોલામાં ૧૦૦ બેડ, પેટાજિલ્લા હોસ્પિટલ સિંગરવામાં ૪૦ બેડ, ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ૬૦ બેડ, ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક ગાંધીનગરમાં ૫૦ બેડ સહિત કુલ ૨૫૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જીએમઈઆરએસ મેડિકલ કોલેજ-સોલામાં જરૂર પડવાની સ્થિતિમાં વધારાની ૧૦૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી શકે છે. ક્વારન્ટાઈન સુવિધાઓ હેઠળ ભોજનની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, શૌચાલયોની વ્યવસ્થા, સુરક્ષા સહિત અન્ય લોકોથી અલગ પ્રવેશની વ્યવસ્થા રાખવામાં આવી છે. ક્વાઈરન્ટાઇનમાં લઇ જવા માટે એરપોર્ટ પર રાત્રે બે તથા દિવસે એક વાહનની વ્યવસ્થા કરાઈ છે.
આઈસોલેશન સુવિધા હેઠળ મેડિકલ કોલેજમાં ૩૯૨ આઈસોલેશન બેડ અને ૧૭૬ વેન્ટીલેટર, જિલ્લા હોસ્પિટલમાં ૧૭૧ આઈસોલેશન બેડ અને ૨૭ વેન્ટીલેટર, પેટાજિલ્લા હોસ્પિટલમાં નવ આઈસોલેશન બેડ અને એક વેન્ટીલેટર સહિત કુલ ૫૭૨ આઈસોલેશન બેડ અને ૨૦૪ વેન્ટીલેટરની સુવિધા ઉભી કરવામાં આવી ચુકી છે.