-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
હલેન્ડા પાસે મરઘા ભરેલુ છોટાહાથી આઇશર પાછળ અથડાતાં બોટાદના સરફરાઝનું મોત
સાથે બેઠેલા મોટા ભાઇ અસલમને ઇજાઃ વાંકાનેરથી ભાવનગર જતી વખતે બનાવઃ મૃતક યુવાનની ગયા વર્ષે સગાઇ થઇ'તીઃ પરિવારમાં માતમ

રાજકોટ તા. ૧૯: સરધારના હલેન્ડા નજીક રાત્રીના મરઘા ભરેલુ છોટાહાથી આગળ જઇ રહેલા આઇશરના ચાલકે અચાનક બ્રેક મારતાં તેની પાછળ ધડાકાભેર અથડાતાં ચાલક બોટાદના મુસ્લિમ યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે બાજુમાં બેઠેલા તેના મોટા ભાઇને ઇજા થઇ હતી.
જાણવા મળ્યા મુજબ બોટાદ રહેતાં સરફરાઝ યાસીનભાઇ કોઠારીયા (ઉ.વ.૨૩) અને તેના ભાઇ અસલમ યાસીનભાઇ કોઠારીયા (ઉ.વ.૨૪) પોતાનું છોટાહાથી વાહન લઇને વાંકાનેર મરઘા ભરવા ગયા હતાં. રાતે ત્યાંથી ભાવનગર જઇ રહ્યા હતાં ત્યારે હલેન્ડા પાસે પહોંચ્યા તે વખતે આગળ જઇ રહેલા આઇશરના ચાલકે અચાનક બ્રેક મારતાં પાછળ છોટાહાથી અથડાતાં ચાલક સરફરાઝ કોઠારીયાને કપાળે ગંભીર ઇજા થતાં મોટા ભાઇ યાસીનની નજર સામે જ મોત નિપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર સરફરાઝ બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતો અને તેની ગયા વર્ષે સગાઇ થઇ હતી. બનાવને પગલે પરિવારમાં માતમ છવાઇ ગયો છે.