-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
પોરબંદરમાં કોરોના વાયરસ સામે બોટ માલિકો સાવચેતઃ ફિશીંગ સમય ઘટાડી નાખ્યો
દરિયાકાંઠે ઇમરજન્સી માટે ૧૦૮ મરીન એમ્બયુલન્સઃ માછીમારોની સુરક્ષા માટે જરૂરી પગલા લેવા તમામ તૈયારીઓ

પોરબંદર, તા.૧૯: કોરોના વાયરસનાં કહેર સામે ફીશીંગ બોટના માલિકો સાવચેત થયેલ છે. દરિયામાં ફિશીંગનો સમય ઘટાડી નાખ્યો છે જેના કારણે દરિયાકાંઠે બોટના ખડકલા જોવા મળે છે.
દરિયાકાંઠા ઉપર માછીમારોની સુરક્ષા અને કોઇપણ ઇમરજન્સી માટે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા તૈયાર રાખવામાં આવી છે.
કોરોના વાયરસને પગલે ફિશીંગ બોટ માલિકો પણ સાવચેત થયા છે. તેઓએ ફિશીંગ માટે જતી બોટોનો સમયગાળો ઘટાડી નાખ્યો છે. દરિયામાં ફિશીંગ માટે જતા માછીમારોની સુરક્ષા તેમજ આરોગ્ય પ્રત્યે કોસ્ટગાર્ડ (નેવી)એ પણ બંદર પર તમામ તૈયારીઓ કરી છે. દરિયાકિનારે ઇમરજન્સી માટે ૧૦૮ મરીન એમ્બ્યુલન્સ તહેનાત કરાઇ છે. તેમજ કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાં ગયેલી ફિશીંગ બોટો પર હવાઇ નિરીક્ષણ દ્વારા પણ દેખરેખ રાખવામાં આવી રહી છે.
પોરબંદરના સમગ્ર દરિયાઇ વિસ્તારમાં કોરોના વાયરસ અંગે તમામ પ્રકારના જરૂરી પગલા લેવા અને માછીમારો તેમજ પરિવારોની સુરક્ષા માટે કોસ્ટગાર્ડએ સંપૂર્ણ તૈયારી કરેલ હોવાનું જાણવા મળેલ છે.