-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
રાજકોટ રહી નીટની પરિક્ષાની તૈયારી કરી રહેલી ઉપલેટાની નેન્સી પટેલનો ગળાફાંસો ખાઇ આપઘાત
મવડી પ્લોટની શ્રીનાથજી સોસાયટીમાં રૂમ ભાડે રાખીને રહેતી'તીઃ એક ભાઇથી નાની હતીઃ અભ્યાસના ટેન્શનમાં પગલુ ભર્યુ કે અન્ય કારણે? તે અંગે પોલીસની તપાસ
રાજકોટ તા. ૧૯: મવડી પ્લોટની શ્રીનાથજી સોસાયટીમાં લક્ષમણભાઇ ડાંગરના મકાનમાં રૂમ ભાડે રાખીને રહેતી અને નીટની પરિક્ષાની તૈયારી કરી રહેલી નેન્સી હસમુખભાઇ બેચરા (ઉ.વ.૨૫) નામની પટેલ યુવતિએ પંખાના હુકમાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
બનાવની જાણ થતાં માલવીયાનગરના હેડકોન્સ. સૂર્યકાંતભાઇ અને અરૂણભાઇ ચાવડાએ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી. પોલીસને જાણવા મળ્યું હતું કે નેન્સી છ મહિનાથી લક્ષમણભાઇના મકાનમાં રૂમ રાખીને રહેતી હતી અને નીટની પરિક્ષાની તૈયારી કરતી હતી. રાતે તેણી ઉપરના માળેથી નીચે ન આવતાં મકાન માલિક તપાસ કરવા જતાં ઠાલો દરવાજો ખોલીને જોતાં તેણી લટકતી જોવા મળતાં ૧૦૮ને અને પોલીસને જાણ કરી હતી.
આપઘાત કરનાર નેન્સીના પિતા હરસુખભાઇ ખેતી કરે છે અને પ્રાઇવેટ નોકરી પણ કરે છે. તેણી એક ભાઇથી નાની હતી. અભ્યાસ માટે રાજકોટ આવી હતી અને રૂમ રાખીને રહેતી હતી. પરિવારજનોને જાણ થતાં માતા-ભાઇ સહિતના સ્વજનો રાજકોટ દોડી આવ્યા હતાં. નેન્સીએ અભ્યાસના ટેન્શનમાં પગલુ ભર્યાની પોલીસને પ્રાથમિક શકયતા છે. જો કે ખરેખર કારણ શું હશ? તે અંગે હવે તપાસ થશે. મૃતકના સ્વજનોના અને બહેનપણીઓના પણ પોલીસ નિવેદન નોંધી મૃતકને કોઇ પરેશાની હતી કે કેમ? તેની માહિતી મેળવશે.