-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
અવકાશી તાંડવ સર્જાશે ? ૨૮ એપ્રિલે ઉલ્કાપીંડ પૃથ્વીની ખુબ નજીકથી પસાર થશેઃ ૪૦ લાખ માઇલ દુર છે

આગામી ૨૯મી એપ્રિલ, ૨૦૨૦ના રોજ એક અવકાશીય દ્યટના બનશે જેમાં એક વિશાળ ખગોળીય ઉલ્કાપિંડ પૃથ્વીની નજીકથી પસાર થશે. આ દ્યટનાના પર અવકાશશાસ્ત્રીઓ અને સંબંધિત પ્રોફેશનલની ચાપતી નજર છે. નિષ્ણાતોના મતે આ અવકાશી ઉલ્કાપિંડની પહોંળાઈ ઓછામાં ઓછા એક માઈલ એટલે કે ૧.૮ કિમી છે. આ અવકાશી ઉલ્કાપિંડને જોવા માટે વર્ચ્યુઅલ ટેલિસ્કોપ પ્રોજેકટ જાહેર જનતા માટે ઉપલબ્ધ બનશે, જોકે કોરોનાને પગલે આ યોજના પડતી મુકવામાં આવે તેવી શકયતા છે. આ અવકાશી ઉલ્કાપિંડ પૃથ્વીથી આશરે ૪ મિલિયન માઈલ (૬ મિલિયન કિમી) દૂર થશે. અવકાશી ગણતરી પ્રમાણે આ અંતર ઓછું ગણાય છે. પૃથ્વી-ચંદ્ર વચ્ચે રહેલા અંતરના લગભગ ૧૬ ગણુ છે. અવકાશીય સ્થિતિની વ્યાખ્યામાં આ અંતર ખૂબ જ ઓછું કહી શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે નજીકના ભવિષ્યમાં એવા કેટલાક અવકાશી ઉલ્કપિંડ પૃથ્વીથી ખૂબ નજીકથી પસાર થશે. વર્ષ ૨૦૨૯માં એટેરોઈડ (૪૧૫૦૨૯) ૨૦૧૧ યુએલ૨૧ પણ ૪૧૫૦૨૯ માઈલ અંતરથી પસાર થવાનો છે.