-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
કોરોના ઈફેકટઃ ટ્રેનો કેન્સલ થતા અને મુસાફરો ઘટતા રેલવેની આવકમાં તીવ્ર ઘટાડો

નવી દિલ્હી, તા.૧૯: વિશ્વના ૧૫૦થી વધુ દેશોને ભરડામાં લેનાર કોરોના વાયરસના ઝપટમાં હવે ભારતમાં પણ આવી ગયું છે. નાગરિક ઉડ્ડયન બાદ રેલવે બીજો એવો સેકટર છે જયાં કોરોનાના કારણે તેની આવકમાં તીવ્ર દ્યટાડો થયો છે. બુધવારે વિવિધ ઝોનની લગભગ ૩૬ ટ્રેન કેન્સલ થઈ છે. રેલ મંત્રાલયના દ્રષ્ટિ ડેશબોર્ડે ગયા વર્ષની સરખામણી કરતા એક અઠવાડિયામાં બુક કરાયેલી ટિકિટની સંખ્યામાં લગભગ ૩૨.૬ ટકાનો ઘટાડો દર્શાવ્યો છે. આ ઉપરાંત હોળી બાદ NH નેટવર્કના ટોટલ ટોપ રેવન્યુ કલેકશનમાં પણ ૨૦ ટકાનો ઘટાડો થયો છે.
પેસેન્જર અને દૈનિક આવક અપડેટ કરનારા ડેશબોર્ડના ડેટા મુજબ છેલ્લા ૭ દિવસમાં રેલવે ટિકિટ બુકિંગની સંખ્યા ઘટીને ૪૫.૩૫ લાખ થઈ છે. ગત અઠવાડિયે મંગળવારે બુક કરાયેલી સરેરાશ બુકિંગનું વિશ્લેષણ કરતા ટિકિટ વેચાણમાં આશરે ૪૦ ટકાનો દ્યટાડો નોંધાયો છે. જે આગામી સમયમાં વધુ ટિકિટની બુકિંગ ઘટવાનો સંકેત છે.
મંગળવારે વેચાયેલી ટિકિટની સંખ્યા ૩.૯૬ લાખ નોંધાઈ હતી. જયારે ગત અઠવાડિયે ટિકિની સંખ્યા ૬.૪૮ લાખ હતી. આંકડા દર્શાવે છે કે છેલ્લા એક અઠવાડિયામાં ટિકિટની બુકિંગની સંખ્યા ઘટી ગઈ છે. તેમજ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ટિકિટ બુંકિગમાં લગભગ ૩૯ ટકાનો ઘટાડો થયો છે. મંગળવારે ટિકિટની કુલ આવક ૩૫ કરોડ થઈ હતી. જયારે ગત અઠવાડિયામાં કોઈ પણ દિવસની ટિકિટની કુલ આવક ૬૯ કરોડ હતી. સુત્રોએ જણાવ્યું કે, હોળીના એક દિવસ પહેલા રેલવેની દૈનિક આવક ૮૦-૮૫ કરોડ હતી જે દ્યટીને હવે ૬૦-૬૫ કરોડ થઈ છે.(