-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ લીધો મોટો નિર્ણય : કર્મચારીઓ કરશે ઘરેથી કામ
જો કે, આમાં હોસ્પિટલ, રિટેલ દુકાનો અને ટેલિકોમ સેવાઓ કંપનીના કર્મચારીઓનો સમાવેશ થતો નથી

નવી દિલ્હી, તા.૧૯: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ તેના તમામ કર્મચારીઓને કોરોના ફેલાવાને ધ્યાનમાં રાખીને ઘરેથી કામ કરવાની મંજૂરી આપી છે. જો કે, આમાં હોસ્પિટલ, રિટેલ દુકાનો અને ટેલિકોમ સેવાઓ કંપનીના કર્મચારીઓનો સમાવેશ થતો નથી. તેમા ઓછા કર્મચારીઓથી કામ ચલાવામાં આવશે.
ટેલિકોમથી લઇને પેટ્રોલ ક્ષેત્રે કામ કરતી કંપનીએ તેના તમામ કર્મચારીઓને ઘરેથી કામ કરવાની છૂટ આપી છે. આ વ્યવસ્થા દેશ-વિદેશમાં પોસ્ટ કરેલી કંપનીના કર્મચારીઓને લાગુ પડશે. આ સિસ્ટમ ૩૧ માર્ચ સુધી અમલમાં રહેશે.
જો કે સમુહ કાર્યસ્થળે ઓછામાં ઓછા કર્મચારીઓની સંખ્યા રાખશે જેથી કામગીરી સરળતાથી જાળવી શકાય. આ અંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રવકતાએ જણાવ્યું હતું કે કંપનીએ તમામ કર્મચારીઓને ઘરેથી કામ કરવાની છૂટ આપી છે.
જોકે જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને જરૂરી સેવા ઉપલબ્ધ કરાવશે.તેનો મુખ્ય વ્યવસાય રિટેલ કરાણાનો વ્યવસાય, ટેલિકોમ સેવા,હોસ્પિટલો અને અન્ય આવશ્યક સેવાઓ ખુલ્લી રહેશે. જોકે તેમાં કર્મચારીઓની સંખ્યા આશરે ૧૦ ટકા હશે.