-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
મણિપુરના પ્રધાનને સુપ્રિમે હોદ્દા પરથી હટાવ્યા
વિધાનસભામાં પ્રવેશની પણ કરી મનાઇ

નવી દિલ્હી તા. ૧૯ : સુપ્રિમ કોર્ટે ગઇકાલે એક મહત્વપૂર્ણ ચુકાદામાં મણિપુરના વન પ્રધાન ટી શ્યામકુમારને પદ પરથી હટાવવાનો આદેશ આપ્યો એટલું જ નહી તેમના વિધાનસભા પ્રવેશ પર પણ મનાઇ ફરમાવી હતી. જસ્ટીસ આર એફ નરીમાનની બેંચે કોર્ટના આદેશ છતાં મણિપુર વિધાનસભાના સ્પીકર દ્વારા શ્યામકુમારની અયોગ્યતા અંગે નિર્ણય ન લેવાથી નારાજ થઇને આ ચુકાદો આપ્યો હતો. ચુકાદો સંભળાવતા બેંચે કહ્યું કે આ પરિસ્થિતિમાં કોર્ટ બંધારણની કલમ ૧૪૨ હેઠળ મળેલ વિશેષાધિકારનો ઉપયોગ કરીને આ ચુકાદો લઇ રહી છે. બેંચ આ કેસની આગામી સુનાવણી ૨૮ માર્ચે કરશે. ૨૧ જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે મણિપુરના સ્પીકરને કહ્યું હતું કે તે ચાર સપ્તાહમાં નિર્ણય લઇ લે. જો સ્પીકર નિર્ણય ન લે તો અરજદાર ફરીથી કોર્ટમાં આવી શકશે.
કોંગ્રેસી ધારાસભ્ય ફજુર રહીમ અને મેઘચંદ્રએ શ્યામકુમારને અયોગ્ય ઠેરવવા માટે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. શ્યામકુમાર કોંગ્રેસની ટીકીટ પર ધારાસભાની ચુંટણી જીત્યા હતા પણ પછી પક્ષ છોડીને ભાજપામાં જતા રહ્યા હતા. પછી તેમણે પ્રધાન બનાવાયા હતા.
કોંગ્રેસી ધારાસભ્યોએ કહ્યું હતું કે, ૧૦મી અનુસૂચી હેઠળ તેમને સભ્યપદે અયોગ્ય ઠેરવવા જોઇએ. પાછલી સુનાવણીમાં બેંચે સાંસદો અને ધારાસભ્યોની અયોગ્યતા અંગે નિર્ણય લેવા માટે સ્વતંત્ર સંસ્થાની રચના કરવાની હિમાયત કરી હતી.