-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
કોંગ્રેસ નેતા ઓસ્કાર ફર્નાન્ડીસે રાજ્યસભામાં યોગના ફાયદા જણાવ્યા
ગૌમૂત્રથી કેન્સર મટ્યાનો કિસ્સો સંભળાવ્યો

નવી દિલ્હી તા. ૧૯ : કોંગ્રેસના સીનીયર નેતા ઓસ્કાર ફર્નાન્ડીસે ગઇકાલે રાજ્યસભામાં ગૌમૂત્રની વિશેષતા ગણાવતા એક વ્યકિતનો અનુભવ કહ્યો જેણે તેમની સમક્ષ ગૌમૂત્રથી કેન્સર મટયાનો દાવો કર્યો હતો. ભારતીય ચિકિત્સા પધ્ધતિ અને હોમીયોપેથી અંગેના બે વિધાયકો પર એક સાથે થઇ રહેલી ચર્ચામાં ભાગ લેતા ફર્નાન્ડીસે કહ્યું, 'જ્યારે પણ હું ગૌમૂત્રની વાત કરૃં છું ત્યારે મારા બહુ સારા મિત્ર જયરામ રમેશ મારા ટાંટીયા ખેંચે છે.'
તેમણે કહ્યું કે, મને મેરઠ પાસેના એક આશ્રમમાં એક એવો વ્યકિત મળ્યો હતો જેણે દાવો કર્યો હતો કે ગૌમૂત્ર પીને તેણે પોતાને થયેલું કેન્સર મટાડ્યું હતું. ફર્નાન્ડીસે યોગ, કુદરતી ઉપચાર અને ભારતીય ચિકિત્સા પધ્ધતિની પ્રશંસા કરતા પોતાનો અનુભવ કહ્યો હતો. તેમણે કહ્યું કે, તેમને એકવાર ઘુંટણમાં બહુ દુખાવો થયો હતો અને ડોકટરોએ ઘુંટણ બદલાવાની સલાહ આપી હતી. ત્યારે મેં વજ્રાસન કરવાનું શરૂ કર્યું હતું અને આજે હું કોઇ મુશ્કેલી વગર કુશ્તી લડી શકું તેમ છું.
તેમણે અમેરિકામાં એક એવી વ્યકિતને મળ્યા હોવાનો દાવો કર્યો જે ૧૦૪ વર્ષનો હતો અને યોગ કરવાના કારણે તે યુવાઓની જેમ ઝડપથી ચાલતો હતો. ફર્નાન્ડીસે કહ્યું, 'યોગ આપણી સંપતિ છે. જો તમે યોગ કરશો તો તમારૃં આરોગ્ય બજેટ ૫૦ ટકા ઘટી જશે. જીવન જીવવાની આ રીત છે.'