-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
સરકારની દેખરેખ હેઠળ થશે માસ્કનું ઉત્પાદનઃ માસ્કની કિંમત આઠ રૂપિયાની આસપાસ રહેશે

નવી દિલ્હી તા. ૧૯ : કોરોનાના પ્રસારને જોતા માસ્કની અછત દૂર કરવા સરકારે પોતાની દેખરેખ હેઠળ તેના ઉત્પાદનનો નિર્ણય કર્યો છે. માસ્ક બનાવતી કંપનીઓ રોજેરોજ સરકારને રિપોર્ટ આપશે. સરકારે આ કંપનીઓ પાસેથી માસ્ક ખરીદવાની કિંમત પણ નક્કી કરી દીધી છે. એન-૯૫ માસ્કની કિંમત ૪૦-૫૦ રૂપિયા વચ્ચે અને ૩-પ્લાયવાળા માસ્કની કિંમત ૬થી આઠ રૂપિયા હશે. સરકાર આ કિંમતે કંપનીઓ પાસેથી માસ્ક ખરીદશે. આગામી એક મહિનામાં ૨ થી ૩ કરોડ માસ્ક સરકાર ખરીદશે. ૩૦-૪૦ લાખ એન-૯૫ માસ્ક ખરીદવામાં આવશે.
બુધવારે ટેક્ષ્ટાઇલ સચિવના અધ્યક્ષ પદે દેશભરના આઠ શહેરોમાં માસ્ક બનાવતી કંપની સાથે મીટીંગ કરાઇ હતી. તેમાં ખાસ તો મુંબઇ, સુરત, અમદાવાદ, કોઇમ્બતુર, કલકત્તા અને અમૃતસરની કંપનીઓ સામેલ હતી. બેઠકમાં નક્કી થયું કે ટેક્ષ્ટાઇલ કમિશ્નરના નેતૃત્વમાં માસ્કના ઉત્પાદન પર રોજીંદી નજર રખાશે. કંપનીઓને માસ્ક ઉત્પાદનમાં આવતી દરેક પ્રકારની મુશ્કેલીઓ દુર કરવાન અને સપ્લાય ચેનને સુલભ બનાવવાની જવાબદારી સરકારની રહેશે .
મંત્રાલયના સૂત્રો અનુસાર, હવે કોરોના વાયરસની સારવાર દરમિયાન પહેરવામાં આવતા બોડી શુટનું પણ ઉત્પાદન દેશમાં જ થશે. અત્યાર સુધી બોડી શુટ માટે ભારત સંપૂર્ણપણે આયાત પર નિર્ભર હતું. પણ ઘરેલું સ્તરે ત્રણ કંપનીઓ વિશ્વ આરોગ્ય સંસ્થાના માપદંડ અનુસારના બોડી શુટ બનાવવામાં સફળ થઇ ગઇ છે. આ કંપનીઓમાં વડોદરાની સ્યોર સેફટી, દિલ્હીની મનચંદા અને કોઇમ્બતુરની સિટ્રા સામેલ છે.
મંત્રાલયના સૂત્રો અનુસાર હાલમાં દર અઠવાડીયે ૨૦ હજાર બોડી શુટની જરૂરીયાત છે. બેઠકમાં એ વાતની પણ ચર્ચા થઇ હતી કે દરેક વ્યકિતએ માસ્ક પહેરવાની જરૂર નથી. સરકાર જે માસ્ક ખરીદશે, તેમાંથી એન-૯૫ માસ્કનો ઉપયોગ હોસ્પિટલોના કર્મચારીઓ માટે થશે. મીટીંગમાં બજારમાં માસ્કના મોં માગ્યા દામ લેવા બાબતે પણ ચર્ચા થઇ હતી. સૂત્રો અનુસાર, આગામી એક-બે દિવસમાં નેશનલ ફાર્માસ્યુટીકલ ઓથોરીટીના માધ્યમથી માસ્કની એમઆરપી નક્કી થઇ જશે.