-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
પાટીદારને મહત્વ નહી અપાતાં રાજીનામું આપ્યુ છે : જે.વી. કાકડિયા
કોંગ્રેસમાંથી રાજીનામંુ આપનારનો ખુલાસો : રાજીવ સાતવ અને અમિત ચાવડાને રજૂઆત કરવા છતાં અમને મહત્વ મળ્યું નથી : જે.વી. કાકડિયા દ્વારા કરાયેલું નિવેદન

અમદાવાદ,તા.૧૯ : રાજયસભાની ચૂંટણીને લઇ હાલ ગુજરાતનું રાજકારણ ગરમાયેલું છે. ખાસ કરીને કોંગ્રેસમાંથી પાંચ ધારાસભ્યોના રાજીનામા બાદ હજુ આ ધારાસભ્યોના ભાજપમાં જોડાવવા અંગેની કોઇ સ્થિતિ સ્પષ્ટ થઇ નથી ત્યારે ધારી-બગસરાના કોંગ્રેસના ધારાસભ્ય જે.વી. કાકડિયાએ રાજીનામું આપ્યા બાદ પ્રથમવાર મીડિયા સમક્ષ આવ્યા છે. તેઓ પોતાના ચલાલા સ્થિત નિવાસસ્થાન પર પહોંચ્યા ત્યારે અહીં કાર્યકરોનો મેળાવડો જામ્યો હતો. જે.વી. કાકડિયાએ કોંગ્રેસ પર આરોપો લગાવી જણાવ્યું હતું કે, ભરતસિંહ સાથે વાત થઇ તે સત્ય છે,
રાજ્યસભામાં પાટીદારોને મહત્વ નહી આપતા રાજીનામું આપ્યું છે. કાકડિયાએ પોતાની હૈયાવરાળ સ્પષ્ટ કરવાની સાથે આગળ શું કરવું તે મુદ્દે જો કે, કોઇ ફોડ પાડયો ન હતો. કોંગ્રેસમાંથી રાજીનામા બાદ જાહેરમાં આવેલા કાકડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે રાજ્યસભામાં પાટીદારોને સ્થાન આપ્યું નથી. રાજીવ સાતવ અને અમિત ચાવડાને રજૂઆત કરવા છતાં પણ અમને મહત્વ મળ્યું નથી. ત્રણ વખત કોંગ્રેસને કહેવા છતાં પણ કોંગ્રેસે એક પણ રાજ્યસભામાં પાટીદારોને મહત્વ નહી આપતા રાજીનામું આપ્યું છે. તા.૧૯ માર્ચે રાજીનામું દીધા પછી હું ગાંધીનગર મારા ક્વાર્ટર પર જ હતો.
અજ્ઞાતવાસમાં ગયો નથી, જાહેરમાં જ બેઠો હતો. ભરતસિંહ સાથે વાત થઇ તે સત્ય છે. કોઇ પણ પ્રકારની ભાજપ સાથે વાત નથી થઇ. મારા મતદારો અને ગ્રામ્ય કક્ષાના આગેવાનોને મળીને નિર્ણય કરીશું કે આગળ શું કરવું. આમ, કાકડિયાએ આગળની રણનીતિ કે ઇરાદાઓ અંગે કોઇ સ્પષ્ટ ફોડ પાડયો નથી.