-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
આણંદ: સામરખા નજીક પિયાગો રીક્ષા પલ્ટી ખાતા 4 મુસાફરોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામા આવ્યા

આણંદ: નજીક આવેલા સામરખા નજીક પીયાગો રીક્ષા પલટી જતાં ચાર મુસાફરોને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી. આ અંગે આણંદ રૂરલ પોલીસે પીયાગોના ચાલક વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર સુરત ખાતે રહેતા ફરિયાદી જયસુખભાઈ શામજીભાઈ કાચનો ભત્રીજો હરેશભાઈ તથા મિત્ર પ્રવિણભાઈ પાટીલ ડાકોર મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા. ત્યાંથી દર્શન કરીને બપોરના સુમારે એક પીયાગો રીક્ષા નંબર જીજે-૦૭, વીડબલ્યુ-૧૪૬૦માં બેસીને પરત સુરત જવા માટે આણંદ આવતા હતા ત્યારે બપોરના દોઢેક વાગ્યાના સુમારે સામરખા રોડ ઉપર આવેલા અંબાજી મંદિર પાસે આગળ જતી ટ્રકની ઓવરટેક કરવા જતાં પીયાગો રીક્ષા પલટી મારી ગઈ હતી જેમાં હરેશભાઈ, પ્રવિણભાઈ તથા અન્ય બે મુસાફરોને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી જેથી તેમને તુરંત જ સારવાર માટે આણંદ નગરપાલિકા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.